SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨ - 378 કરતાં ચાર, ત્રણ, બે અને એક છોકરા સુધી રાજાની સાથે વાતમાં શેઠ કહે, પણ એ વખતે એક પણ છોકરાને મારવાની એની ભાવના છે ? નહિ જ. તેમ મુનિ પણ છ કાયના પિતાતુલ્ય છે, એટલે એ કાયના જીવો મુનિવરને પુત્ર સમાન ! મુનિ તો છ કાયની રક્ષા સમજાવે. ગૃહસ્થ કહે કે નથી બનતું, તો પછી ગૃહસ્થથી જે બને તેનો મુનિ નિયમ આપે. એટલે બાકીની છૂટ આપી એમ નહિ જ ! કારણ કે, મુનિ તો કહે છે કે એક પણ કાયને મરાય નહિ. મુનિ દેશવિરતિનાં પચ્ચખાણ આપે, એટલે બાકીની અવિરતિની છૂટ આપી એમ ? નહિ જ, કારણ કે મુનિ તો પ્રથમથી સર્વવિરતિની વાત કરે, અસામર્થના યોગે એનાથી સર્વવિરતિ ન બને, તે કારણે તે જે માગે તે આપે. મુનિ જો નૂતનને આ બધું ન સમજાવે, ન સૂચવે, તો ગૃહસ્થની અવિરતિના પાપનો ભાગીદાર થાય. દુનિયાની કઈ ક્રિયા એવી છે, કે જેમાં હિંસા નથી? તો પછી દુનિયાદારીની કોઈ પણ ક્રિયામાં ‘હશે, કરો” એમ મુનિથી કેમ કહેવાય ? છકાયના પિતાતુલ્ય મુનિથી એમ ન જ કહેવાય. તમે મુનિવરોને છ કાય જીવના પ્રતિપાલક લખો છો, તો સાચા દિલથી કે નહિ ? જો સાચા દિલથી હોય તો દુનિયાદારીનાં કાર્યોમાં એવું કહેવરાવવા તમે ન જ ઇચ્છો ! કાગળમાં તો લખો છો કે તરણતારણ જહાજ' તો જહાજનો અર્થ શું ? સભા : સંસારસાગરથી તારે તે. તે શું ? દીક્ષાને ! તો પછી એવો વિરોધ હોય ? નહિ જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004826
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy