________________
૮૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૨
–
૩૦
બને, સંતાન પેદા થાય, ત્યારે તમે કઈ રીતે નીકળો? અને એ બધું જાય ત્યારે કેવી રીતે નીકળો? એવો આનંદ કે શોક અહીં કદી પ્રાપ્ત થયો? હજુ તો વસ્તુ ઊતરતી જ નથી. ખરેખર, જો વિચારશો તો સમજાશે કે જે રીતે વસ્તુ મળવી જોઈએ અને પરિણામ પામવી જોઈએ, તે રીતે મળી નથી અને પરિણામ પામી નથી. આત્મતત્વની જિજ્ઞાસા પેદા કરો!
સંયોગ તમને બધા મળ્યા છે. પુણ્યવાન એવા કે દેશ પણ મજાનો મળ્યો છે, ધર્મની વાત ઠામ ઠામ હોય : સાચો કે ખોટો, પૂરો કે અધૂરો, તે ગમે તેમ, પણ ધર્મનો ધ્વનિ તો ઠામઠામ નીકળે એવો દેશ મળ્યો. આર્યદેશનો અર્થ એ કે
જ્યાં ત્યાં ધર્મની વાતો ચાલે તેમાં પણ આર્યજાતિ, આર્યકુળ, તેમાં પણ શ્રાવક કુળ અને તેમાંય ભગવાન શ્રી મહાવીરદેવનું શાસન છે ત્યાં : વળી શ્રી જિનમંદિર, નિગ્રંથ ગુરુઓ, અને ધર્મની સામગ્રી છે ત્યાં કહો શી કમીના છે ? બધુંય છે. સ્થળ, કાળ, સામગ્રી બધુંય મજાનું છે, ત્યારે નથી શું? જિજ્ઞાસા ! કદી એ ભાવના થઈ કે આ આત્માની વાતો સારી રીતે સમજું? દુનિયાની તો વાતો બહુ સમજ્યો. આ વાતો એક-બે કલાકમાં સમજાઈ જાય તેમ ન માનતા. ઠીક છે, છાયા પડે અને ઉલ્લાસ જાગે, તો ક્ષયોપશમ આદિથી સમજાઈ કે પમાઈ જાય એનો નિષેધ નથી. અને, પા કલાકમાં પમાય એનો પણ ઇન્કાર નથી, પણ “બે કલાકમાં સાંભળીને જ માત્ર ચાલ્યા જવાથી, અને સાંભળેલું અહીં જ મૂકી જવાથી પમાય,' - એમ તો માનશો જ નહિ. માનો કે કંઈક હૃદયમાં રહે, પણ અહીંથી ગયા બાદ શું સમજ્યા એનું મનન, એની વિચારણા ન થાય તો? શું મેળવ્યું કે શું મળ્યું - એનો વિચાર ન થાય, તો ધર્મ અંતરમાં પ્રવેશે શી રીતે ? ધર્મને પ્રવેશવાનાં દ્વાર બંધ છે, કારણ પાંચ ઇંદ્રિયો અને મને પોતાનું જ કામ કરવામાં રોકાયેલ છે. ઘરના માણસો પણ જુદા જુદા કામ માટે તૈયાર છે. આ લાવવાનું અને આ કરવાનું - એ બધું ઘેર જાઓ એટલે તૈયાર. કાનને પ્રિય સાંભળવાનું કંઈ હોય, તો તરત ત્યાં કાન ઘસડાઈ જાય. રૂપાદિ જોવાનું હોય તો મીંચાયેલી આંખો તરત પહોળી થાય. આ બધી કાર્યવાહી કર્મરાજાની છે. લોકવાસના અને વિષયતૃષ્ણાને લઈને એ સ્થિતિ છે કે ધર્મની વાત - આત્માના હિતની વાતને અંદર પેસવાની જગ્યા નથી. એ જગ્યા કરવા માટે પહેલું જ જ્ઞાની કહે છે કે, તમે જ્યાં બેઠા છો, ત્યાં દુઃખ જ છે, સંસાર દુઃખમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org