________________
૮૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૨
–
382
અંદર અંદર જ દબાઈ જાય. એ “શું કરીએ” શબ્દ નીકળવા પહેલાં તો આંખમાંથી આંસુઓની ધારાઓ ચાલે, મૂર્છા આવે, ચક્કર આવે અને બધુંયે થાય અને અહીં રોજ “શું કરીએ ?' એ જ એક શબ્દ અને તે પણ ઠંડે કલેજે જ, એ શાથી? વસ્તુની કિંમત સમજાઈ નથી અને લોકહેરી નથી છૂટી એથી. લોકહેરીની ભાવના આત્માના સર્વ ગુણો ઉપર આક્રમણ કરે છે. તેથી જ્ઞાનીની સેવાપૂજાની વાસ્તવિકતા દુષ્કર છે ? એની કિંમત ન લાગે ત્યાં સુધી ભલે એ ક્રિયાઓ સહેલી લાગે. સમ્યગ્દર્શન, જ્ઞાન, અને ચારિત્રની કિંમત વધે કે તમારી સાહ્યબીની ? જરા આત્માને પૂછજો, ઘેર જઈ વિચાર કરજો. કહોને કે મોંઢે કહીએ ખરું કે ભગવાને કહ્યું તે ખરું, ગુરુ કહે છે તે ખરું, પણ- આ “પણ” તો મોટો પહાડ છે. એ ઊંચકાય નહિ, ખસેડાય નહિ : પણ તમે જો લોકવાસનાથી આઘા ખસી જાઓ, તો તે પહાડ તો એકદમ ખસી જાય. જૈનશાસન જેવું ઊંચી કોટિનું મધ્યસ્થપણું, જૈનશાસન જેવી માન્યતા બીજે છે ક્યાં ? શ્રી જૈનશાસને તમારા ખાવા-પીવા-પહેરવા-ઓઢવા વગેરે બધા જ ઉપર ચોકી મૂકી છે, કારણ કે હિંસામાં બેઠેલાઓ વધુ હિંસક ન બને એ ભાવના છે. ભક્ષ્ય અને અભક્ષ્યના ખૂબ ભેદો પાડી વર્ણન કરવાનો હેતુ એ જ કે જે બધા હિંસામાં તો રહેલા જ છે, તે વધુ હિંસામાં ફસી ન જાય. આવી તમારી ચિંતા કોણ કરે ? સવારથી ઊઠો ત્યારથી રાત્રે સૂઈ જાઓ, ત્યાં સુધીની તમારી બધી કાર્યવાહીની ફીકર આ શાસન રાખે છે. એ કાર્યવાહીના યોગે વધુ પાપમાં ન ફસાઓ, એ જ આ પવિત્ર શાસનની ભાવના છે. દુનિયાના પાપમાં, દુનિયાના રંગરાગમાં લેવાઓ નહિ, એ માટે આ બધું ફોડ પાડીને જૈનશાસન સમજાવવાની મહેનત કરે છે ! આત્માની કંગાળ હાલત શાથી છે?
જીવ અને અજીવ-એ બે તત્ત્વો ઉપર આખી દ્વાદશાંગી રચાઈ અને એને જ જુદાં જુદાં રૂપક અપાયાં. શાથી ? અનંતજ્ઞાનવાળો આત્મા, અનાદિથી જડના સંસર્ગથી લેપાયેલો છે તે આત્મા, અનંતજ્ઞાનીના વચનના યોગે જડના સંસર્ગથી છૂટે એથી ! જડના સંસર્ગથી આત્માની શી દશા થઈ છે તે વિચારો ! જે આત્માને કોઈ પણ ચીજ હલાવી ન શકે એવો અનંત સામર્થ્યવાન આત્મા, તુચ્છમાં તુચ્છ વસ્તુની પાછળ કંગાળની જેમ ભમી રહ્યો છે, ભટકી રહ્યો છે, એ કોના પ્રભાવે ? ઉત્તરમાં કહેવું જ જોઈએ કે એ પ્રભાવ પુદ્ગલની આધીનતાનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org