SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 61 – ૫ : તીર્થની આરાધનાનો અવસર – 5 – ૯૧ અસર થાય એનો અમને પણ આઘાત થાય. તમને થતી ઝેરી અસરનું દુઃખ અમને જરૂર થાય છે. એ દુઃખનો બોજો મોટો ખડો થાય છે. અમારી પાસે આવનારાને સુખી કરવાની ફરજનો બોજો અમારા પર મોટો છે. એમ ન માનતા કે તમારે આધારે વીતરાગદેવ અને નિગ્રંથ ગુરુ તથા તેમનો કહેલો ધર્મ જીવે છે. વીતરાગ એમની વીતરાગતાના પ્રતાપે જગતમાં જયવંતા વર્તે છે : નિગ્રંથો એમની નિગ્રંથતાના પ્રતાપે જગતમાં જયવંતા વર્તે છે : આગમ એની નિર્દોષતાના પ્રતાપે જગતમાં જયવંતુ વર્તે છે ? ધર્મ જગતનું ભલું કરવાના ભાવથી ભરેલો હોઈ જયવંતો વર્તે છે : કોઈ તમારા-મારાથી જયવંતા વર્તતા નથી. તમે અને હું તો એની સેવા કરીએ તો વિજય છે, નહિ તો નહિ. એના યોગે આપણે છીએ આપણા યોગે એ નથી. આ વાત વિચારશો, અસ્થિમજ્જા બનાવશો, તો દરેક જગ્યાએ જ્યાં જશો ત્યાં સામાને વસ્તુ ઠસાવી શકશો. સામાને પણ જરૂર એમ થાય કે આનામાં કાંઈક છે : “જરૂર, મૂળ ઊંડાં છે : આની ભાવના ઝળહળે છે. સામાને આવું દેખાય. તમારી વાણી, વર્તાવ, પ્રવૃત્તિ જરૂર શ્રી જિનેશ્વરદેવના અનુયાયીને છાજતી જ દેખાવી જોઈએ. શ્રી જિનેશ્વરદેવના અનુયાયી એટલે કે શ્રી જિનેશ્વરદેવને સેવનાર તરીકે, નિગ્રંથના ઉપાસક તરીકે, તમારે જગતમાં જરૂર દેખાવું જોઈએ. તમને આજે દબાઈ ગયેલા જોઉં છું. તમે તમારા સ્થાન પર સ્થિર નથી. તમારું હૃદય સ્થિર રહેતું નથી. તમે એવા સ્થિર બનો કે સામો ઝૂકે અને કહે કે : ના, ના, આમાં કાંઈક છે. હે ભગવન્! તારો જય હો !'-એમ રોજ કહો છો અને પછી એની પાસે જે માગણી કરો છો, તે બધા માટે આ મહેનત છે. ડૉક્ટર પાસે જે વાત રજૂ કરી, એની પાસે જે લખાવી લાવો, તે જ કમ્પાઉન્ડર આપે-ડૉક્ટરે કહેલું જ અપાય છે. બાપ, મા, બંધુ, સર્વસ્વ એ વીતરાગ -તે સિવાયનું બધું જ ભૂલી જવું જોઈએ. એક એક પૂર્વપુરુષને યાદ કરજો. ફલાણા તરી ગયા, ફલાણા તરી ગયા, પણ એમ ને એમ તરી ગયા? તમે ઘણું સાંભળ્યું, સંભળાવનારે પણ ઘણું ઘણું સંભળાવ્યું. હવે તો સાંભળેલાનો અમલ થવો જોઈએ. વિચાર કરો, જો આ ચીજ હૃદયમાં આવી જાય તો ધાર્યા કામ પસાર થાય. જે તમે માગો છો, તે જ જ્ઞાનીએ આગમમાં લખ્યું છે. તમારી માગણીઓ બહુ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004825
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy