________________
૧૭: લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત
લોકવિરુદ્ધ અને લોકવિરોધ વચ્ચેનો તફાવત :
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા, મંગલાચરણ કરતાં ફરમાવી ગયા કે “આ શાસન સદા જયવંતુ વર્તે છે, કારણ કે એમાં એક પણ અયોગ્ય વિચારને સ્થાન નથી તેમ જ એમાં એકેએક યોગ્ય વિચારનો સદ્ભાવ છે : માટે જ એ શાશ્વત છે એનો અભાવ કોઈ પણ કાળે નથી ભલે અમુક ક્ષેત્રે થાય, તે પણ ભરત અને ઐરાવત બેમાં જ : મહાવિદેહમાં તો સદાયે શાસન છે જ : ત્યાં તો સદાયે ચોથો આરો છે : ત્યાં જુદા જુદા આરા નથી. ત્યાં કોઈ કાળ એવો ન આવે કે જે કાળમાં શાસન ન હોય, માટે શાશ્વત છે અને એથી જ અનુપમ છે : કારણ કે એની જોડીમાં ઊભી રહે એવી કોઈ ચીજ નથી : માટે જ તે શરૂઆતમાં જ સઘળા શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલું છે : માટે જ આ શાસન સદાય જયવંતુ વર્તે છે. એ શાસનમાં-તીર્થમાં આચારની મુખ્યતા છે.” એ આચારમાં ઘણી ઘણી કઠિનતા છે. એનું વર્ણન કરીએ તે પહેલાં, આપણે હંમેશાં શ્રી જિનેશ્વરદેવ પાસે જે ભાવના વ્યક્ત કરીએ છીએ, રોજ જે વસ્તુની માંગણી કરીએ છીએ, તે જો બરાબર દૃઢ થઈ જાય, તો જે આચાર જીવનમાં બરાબર ઉતારવા માંગીએ છીએ, તે સહેલાઈથી ઊતરી શકે : માટે તમે અને અમે રોજ શ્રી વીતરાગ દેવ પાસે જે વસ્તુ માંગીએ છીએ, તેની વિચારણા કરી રહ્યા છીએ. એ માંગણી પ્રાર્થનાસૂત્રમાં (જય વિયરાયમાં) છે, જે આપણે રોજ શ્રી વીતરાગદેવ પાસે બોલીએ છીએ. માંગણીની વસ્તુ ગણાવી ગયા. પ્રથમ તો ભવનો નિર્વેદ : એ ટકાવી રાખવા માટે માર્ગાનુસારિતા : એ ટકી રહે માટે ઇષ્ટફળસિદ્ધિ : એમાં કોઈ જાતનો વાંધો ન આવે માટે લોગવિરુદ્ધચ્ચાઓ એટલે લોકવિરુદ્ધનો ત્યાગ. નિંદાદિ લોકવિરુદ્ધ કાર્યોનો ત્યાગ. નિંદાદિ કાર્યોને શાસ્ત્રમાં લોકવિરુદ્ધ તરીકે ગણાવવામાં આવેલ છે તેનો ત્યાગ.
“તો વિરુદ્ધ ક્વાનો-આ સૂત્રપદ કઈ વસ્તુનો ત્યાગ સૂચવે છે, એ બરાબર વિચારો. શાનો ત્યાગ છે ?, એ બરાબર સમજો. લોકવિરુદ્ધનો ત્યાગ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org