________________
૧૯૯ -
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
–
166
તો તીર્થ સ્થાપીને એ કર્યું કે “ધમાચકડી કરનારામાંથી થોડાકને ઓછા કર્યા : બધાયે અઢાર પાપસ્થાનકે સહિત હતા, એમાંથી થોડાકને એથી રહિત બનાવ્યા : કેટલાકને આ અઢારે પાપસ્થાનકો સેવવા યોગ્ય નથી એવા વિચારવાળા બનાવ્યા !” આથી અજ્ઞાનીઓ મિથ્યાત્વ આદિના જોરે ઉધમાત કરે અને એના યોગે કજિયા ઊભા થાય.
સભા : પ્રભુના અતિશયો પણ હદવાળા છે ને ?
અલબત્ત, ભગવાન વિચરતા હોય ત્યારે સવાસો જોજનમાં કોઈને પીડા ન થાય : આ અતિશય છે,પણ પોતે જ્યાં હતા ત્યાં રાજગૃહીમાં જ મૃગાલોઢીયાની પીડા કેવી ભયંકર હતી ? નિકાચિત કર્મ હતું. સૂર્ય સર્વને પ્રકાશ આપે, પણ જે જાત જ એવી હોય, કે જેને એના ઊગવાથી અંધાપો થાય, ત્યાં થાય શું? અપવાદ બધે હોય. જો એમ અતિશય ચાલતો હોત, તો એકને પણ એ ભગવાન મિથ્યાદૃષ્ટિ રહેવા ન દેત. “સર્વે સુવિનો ભવતુ !-બધા સુધી થાઓ !'-આ ભાવનાવાળા ભગવાન એવા ઉદાર હતા કે બધાને મોક્ષે પહોંચાડ્યા પછી પોતે જાત. એમનાં દર્શનથી હજારો આદમી ધર્મ પામતા હતા, સમ્યક્ત પામતા હતા : એમના ગમનથી, એમના દેખાવથી, એમની કાર્યવાહીથી, એમના અતિશયથી, એમના મહિમાથી સંખ્યાબંધ આત્માઓ ધર્મ પામતા હતા : એમની વાણી સાંભળીને કેટલાય આત્માઓ પોતાનું કલ્યાણ કરતા હતા : ભગવાન તો પરિપૂર્ણ અતિશય-સંપન્ન આત્મા હતા, પણ પાખંડી તો નક્કી કરીને જ આવે કે “કાંઈ છિદ્ર નીકળે છે?” ભગવાનની વાણીમાંથી પણ છિદ્ર શોધવા આવનારા હતા. છિદ્ર શોધવા આવનારો સારું તો સાંભળતો જ નથી. સમજે છે કે “સારું સાંભળ્યું અને જો ઘૂસ્યું તો બુદ્ધિ ફરી જાય !” એટલે એનો નિર્ણય જ એ કે “સારું છોડી દેવું અને ખોટું પકડવું !' એ જ એનું ધ્યેય !!
તમે તમારી દૃષ્ટિ એવી બનાવો કે સત્ય આવે ત્યાં ખોટું મારાપણું ખસી જાય. સારા સારા વિદ્વાનો પણ મુંઝાય છે, એનું કારણ એ છે કે “મારાપણું જતું નથી.' એ એમ માને છે કે “અમે ઘણા વખતથી માનેલ તે છોડાય ?' પણ તમે કોણ ? અલ્પ જ્ઞાનીને “સાચું માનવું અને ખોટું છોડવું'-એ ઉત્તમ ભાવના તો હોવી જ જોઈએ. આ રીતે વસ્તુને સમજો !
મુનિએ કાંઈ બોલવું જ નહિ, એવો કદાગ્રહ ન હોય. એટલા માટે તો વચનગુપ્તિની સાથે ભાષાસમિતિ પણ રાખવી પડી. બેશક, મુનિ પાપકાર્યમાં વપરાતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org