SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ : ભાવનાનું મહત્ત્વ કામ થાય : અને તેમ હોય તો દુર્ગતિમાં જવું પડે ! આ બધા માટે લાખ્ખો શ્લોકો-ઢગલાબંધ ગ્રંથો ઉપકારી મહાત્માઓ લખી ગયા છે અને એ દ્વારા સમજાવે છે કે આ માર્ગે ન જતા. આ વાત તમને કોઈ કહે-સમજાવે, તેમાં આમળો કેમ ચઢે ? આમળો એટલે સમજો છો ? દોરી બળે પણ વળ ન મૂકે એ દશામાં ન જવાય એમાં જ કલ્યાણ છે. બુદ્ધિનો સદુપયોગ કરો. શ્રી જિનેશ્વરદેવના સાચા અનુયાયી બનો. શાંતિ જોઈતી હોય તો શાંતિના આપનાર બનો. કોઈના ભૂંડાની ભાવના ન રાખો. પારકાના ભલાની ભાવના રાખો. કોઈના ભલા માટે કોઈ યોગ્યને કાનપટ્ટી પકડીને પણ સમજાવવો પડે તેમાં ગભરાઓ નહિ. વહાલામાં વહાલા દીકરાને એના ભલા માટે ધોલ મારવી પડે, તો માબાપ કોઈને પૂછે નહિ. એવી ધોલ લગાવી દે કે બાળકને પણ થાય કે આ માબાપ સામે આપણી અયોગ્ય કાર્યવાહી ચાલી શકે તેમ નથી. આટલું થાય તો જૈનશાસનનો સાચો આનંદ આજ લૂંટી શકો. 117 Jain Education International - 9 For Private & Personal Use Only ૧૧૭ www.jainelibrary.org
SR No.004825
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri
PublisherSanmarg Prakashan
Publication Year2001
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy