________________
કર્મનો સિદ્ધાંત
૬૧
સૂચના આપતું બોર્ડ લગાવ્યું કે –
"You can choose any colour you like, provided it is
black."
‘તમે ગમે તે રંગ પસંદ કરી શકો છો, તે કાળો હોવો જોઈએ.”
બધી ગાડીઓ કાળા રંગની જ હતી. બીજો કોઈ રંગ હતો જ નહિ. પરંતુ સ્વતંત્રતા પૂરેપૂરી હતી. તમે ગમે તે રંગ પસંદ કરો પણ પાછળ શરત એટલી કે તે કાળો હોવો જોઈએ. ૩૬. (૨) જેટલી સ્વતંત્રતા તેટલી જ જવાબદારી :
(Freedom implies Responsibility) સ્વતંત્રતા દ્વિમુખી નથી. તમે ક્રિયમાણ કર્મ કરવામાં સ્વતંત્ર અને પાછા તેની જવાબદારીમાંથી પણ મુક્ત, એમ બંને ન બને. કર્મ કરવામાં સંપૂર્ણ સ્વતંત્ર છો, તો તેનું ફળ – પરિણામ ભોગવવામાં પણ તેટલા જ પરતંત્ર છો, તેનું ચોક્કસ ભાન રાખવું જ પડશે. એટલે જ ભગવાને ગીતામાં ચોખવટ કરી કે, વળેવધારસ્તે મા જોવુ રાવન | અને સાથે સાથે એ પણ સ્પષ્ટતા કરી દીધી કે તમે કર્મ કરો, તેમાં મારી કોઈ પણ પ્રકારની જવાબદારી કે ભાગીદારી નથી.
ન કર્તુત્વ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ ! ન કર્મફલસંયોગ સ્વભાવસ્તુ પ્રવર્તત . નાદને કસ્યચિત પાપ ન ચૈવ સુકૃતં વિભુઃ |
અજ્ઞાનેનાવૃત જ્ઞાન તેને મુઘત્તિ જત્તવઃ | (ગી. પ/૧૪-૧૫) કર્મ કરવામાં તમે સંપૂર્ણ સ્વતંત્ર છો પરંતુ તેનું જે પરિણામ આવે તેનું બંધન તો તમારે સ્વીકારવું જ પડે. તમે પાપ કરો અને તમે દુઃખ ભોગવો, ભગવાન શા માટે ભોગવે? તમે પુણ્ય કરો અને તમે સુખ ભોગવો. ભગવાનને તમારું કરેલું પુણ્ય નથી જોઈતું. તેમની પાસે તેમનું પોતાનું અઢળક પુણ્ય સ્ટૉકમાં છે. તમે ખૂન કરો અને તમારા બાપા ફાંસીએ ચઢે એવો ન્યાય ના થાય. ભીમ ખાય અને મામા શકુનીને ઝાડા થાય એ ન્યાય કદાચ કૌરવોના રાજ્યમાં હશે, પરંતુ પરમાત્માના રાજ્યમાં નથી.
કર્મ માત્ર બંધન છે, તે બરાબર સમજી લેવું. કર્મ કરતાં પહેલાં કેવું કર્મ કરવું તેનો નિર્ણય કરવામાં તમે સ્વતંત્ર. આવી રીતે પરમાત્મા પણ એમ કહે છે } You are free, you are independent provided you are good.
તમે સજ્જન હો તો તમે પૂરેપૂરા સ્વતંત્ર છો.'
પરંતુ સજ્જન જ હો તો પછી તે સ્વતંત્રતાની કિંમત ક્યાં રહી ? સંપૂર્ણ સ્વતંત્રતાનો અર્થ એ કે તમે ધારો તો તમે દુર્જન પણ થઈ શકો. પરંતુ પછી તેના પરિણામની જવાબદારી તમારી રહે છે, પરમાત્માની નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org