SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રીમદની જીવનસિદ્ધિ બનતું કે જેથી બજારની સ્થિતિ ચિંતાજનક થઈ જાય. એ વિશે શ્રીમદ્ પેાતાના અનુભવમૂલક વિચારો વ્યક્ત કરતા ઉપરના પત્ર લખ્યા હતા. પેઢીના ભાગીદાર શ્રી નગીનચદભાઈનું પણ અમુક લાભ મેળવ્યા પછી “સાહસપૂર્વક” કામ કરવાનું વલણ થઈ ગયું હતું. આગળના પત્રમાં શ્રીમદ્દે નગીનચંદ્રભાઈ ને નિગ્રહપૂર્વક કામ કરવા સમજાવવા માટે એક વેપારીને ચાગ્ય કળ, ઢી દર્શિતા અને નિપુણતાપૃર્વક પ્રયત્ન કર્યા છે. બંને પરિસ્થિતિના લાભાલાભ વધુ વ્યા છે. આમ છતાં પણ નગીનચંદભાઈ “ સાહસપૂર્વક ’ કામ કરવાનું’ જ વલણ રાખે તે કદાચ તેમની સાથે ભાગીદારી બંધ કરવાના સમય પણ આવે, તા તે માટે તત્પર રહેવા શ્રીમદ્ પેાતાની પેઢીને એ પછીના જ દિવસે પત્ર લખે છે. એ પત્ર પરથી આપણને ખ્યાલ આવી શકે છે કે શ્રીમદ્ એ પેઢીમાં અંતિમ નિર્ણાયક જેવા હતા. આગળના દિવસના પત્રના ભાવાર્થં ટાંકી તે નગીનચંદભાઈ વિશે લખે છે કેઃ— “કઈ પણ તેને અસર થાય એવી રીતે લખવાનુ` પ્રયત્ન કર્યું' છે, જોકે તેનાથી તેમ વર્તાવુ બહુ મુશ્કેલ છે...તમારા મનમાં પણ્ સીરી વગેરે સબધી ખ્યાલમાં આવ્યું, અને તે અમને લખ્યું, એટલી સરળતા માટે ચિત્તને સતાષ થયા છે. ” હું અત્રેથી આસા સુદ દશમે વિદાય થઈ સુદ ૧૧ની સવારે તમારી તરફ આવવાના વિચાર રહે છે, તે પ્રથમ કંઈ માલ લેવાનું કારણ હાય તા તમારા વિચાર પર રાખીએ છીએ. જેટલી સ`ભાળ તમારાથી થઈ શકે તેટલી કરશેા. પ્રત્યક્ષ નુકસાન દેખાતુ હોય તેા પછી પડશે નહિ. મૂળગા થાય તેવું દેખાતુ હોય અથવા સહજ નુકસાન જેવું દેખાતું હાય, અને તમારુ ચિત્ત એકબીજાનું ચિત્ત જુદું થવાના કારણથી ભય રાખતું હોય તેા હા કહેશે. પણ સેા વસા તા ના કહેશો કે હવે તરતમાં આવનાર છે એટલે તેમના આવ્યા પહેલાં હાલ કઈ પણ કરવાના વિચાર નથી. જ્યાં સુધી બને ત્યાં સુધી આમ વશો તા ફાયદા છે. કઈ પણ આગળ પર તેથી લાભ છે, તેમ બીજો ભય—એટલે સંબંધ તૂટી જવા વગેરેની કલ્પના પ્રત્યે વિશેષ જઈ ભાગમાં પડવાનું કારણ નથી. તેમ છતાં તમારા પર રાખવાનુ કારણ એમ છે કે સહેજસાજ નાની રકમ હાય અને ચલાવવા ખાતર સંબધમાં રહેવું એમ તમારા મનમાં આવે, તો તેમ કરવા માટે લખ્યું છે, ”૯૫ તેઓ માતી કે ઝવેરાતના મુખ્ય ધંધામાં જેવી કાળજી અને તકેદારી રાખતા તેવી જ ચાકસાઈ અને ચીવટ કાપડ કે બીજા નાના ધંધામાં પણ રાખતા હતા. ટૂંકામાં કહીએ તેા વેપારની દરેકેદરેક ચીજ પ્રત્યે તે સાવધાન હતા, વિ. સ. ૧૯૫૧માં તેએ સાયલાથી પેાતાની પેઢી પર એક પત્રમાં લખે છે કેઃ— શમી ઓઢણીઆ મગાવા તા પાત, પના, રંગ, વગેરે બરાબર તપાસીને લેશો. બાંધણી ચાખી જોઈ ને લેશો. ભીમજી વલભજીને ત્યાં નંગ સારા હોય છે. ૯૫. 66 · શ્રીમદ્ રાજચંદ્ર ’', આવૃત્તિ ૫, ભાગ ૨, મૃ. ૧૭૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy