SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા ૫૯ પરમવ્રુત પ્રભાવક મંડળ ” તરફથી તેમણે “ શ્રીમદ્ રાજચંદ્ર ” ગ્રંથની પહેલી આવૃત્તિ દેવનાગરી લિપિમાં બહાર પાડી. તે પછી પણ તેમણે પેાતાનું સંશાધનકાર્ય ચાલુ રાખ્યું, અને વિ. સ'. ૧૯૭૦માં તે ગ્રંથની બીજી આવૃત્તિ તેમણે સ્વતંત્ર રીતે પ્રગટ કરી. વિ. સં. ૧૯૮૦માં ત્રીજી આવૃત્તિ વિશેનું કાય પણ થયું, પણ તે પૂરું થાય તે પહેલાં મનસુખભાઈ ના દેહ પડયો. તે કાય તેમના ભાણેજ હેમચન્દ્ર ટાકરશી મહેતાએ પૂર્ણ કર્યું". આમ જનતાને શ્રીમની ઓળખાણ કરાવવામાં મનસુખભાઈ ના ફાળા સૌથી માટેા છે. તે શ્રીમદ્ ક્રાંતિકારી ,, ,, - શ્રીમદ્ બહુજન સમાજમાં “શ્રીમદ્ રાજચંદ્ર ” કરતાંય “ કૃપાળુદેવ ” તરીકે વિશેષ જાણીતા હતા, કારણ કે તેમની પાસેથી ઘણા જીવા શાંતિ પામતા હતા. પૂ. ગાંધીજી જેવા પણ પેાતાની કસાટીના સમયે જેમની પાસેથી શાંતિ મેળવી શકવા હતા એવા શ્રીમદ્ માટે કોઈ “ ક્રાંતિકારી ” વિશેષણ ચેાજે ત્યારે સહેજે કાઈ પણ વાચકને કુતૂહલ થાય કે “ તમે શ્રીમદ્દને કયા પ્રમાણથી ‘ક્રાંતિકારી” ગણાવી શકે છે ? કારણ કે ક્રાંતિકારી' શબ્દ માટે સમાજે જાણ્યે-અજાણ્યે ‘તીવ્ર જુસ્સા ’ના અને વણી દીધા છે. પણ આ વ્યાપક અને જરા સૂક્ષ્મતાથી વિચારીએ—ક્રાંતિ એટલે ચાલી આવતી રૂઢિમાં ફેરફાર કરવા એ અ લઈ એ—તા શ્રીમદ્દ વિશે યાજેલા ઉપરના વિશેષણની યથાતા સમજાશે. શ્રીમદ્ દરેકેદરેક ક્ષેત્રમાં ક્રાંતિકારી ન હતા, કોઈ પણ માનવ ન હેાઈ શકે, એ સ્વાભાવિક છે. તેથી તેમનું એ ક્રાંતિકારીપણું સાહિત્યના અને ધર્માંના કયા ક્ષેત્રમાં નજરે ચડે છે તે વિશે થાડુ વિચારીએ. ,, શ્રીમના સંપર્કમાં આવેલી વ્યક્તિઓને થયેલા તેમના પરિચય, શ્રીમની મુદ્રા, તેમનુ' લખાણ વગેરે ઊડતી નજરે તપાસતાં તેમનું “ ક્રાંતિકારીપણું ” સહેલાઈથી નજરે ચડતું નથી, પણ જરા ઊંડાણથી વિચારતાં તરત જ સમજાય છે કે તેઓ એક મહાન ક્રાંતિકારી હતા અને તેનાં બીજ ઠેકઠેકાણે વવાયેલાં છે. અલખત્ત, ક્રાંતિને ઉતારવાની તેમની પદ્ધતિ જ એવી હતી કે “ પાતામાં એમનાં વચના દ્વારા કોઈ મહાન પરિવર્તન થઈ રહ્યું છે” તેના ખ્યાલ, પરિવર્તન થઈ જાય ત્યાં સુધી ન આવે; અર્થાત્ તેમની ક્રાંતિ જગાવવાની રીતમાં જ તથા તેના વિષયની પસંદૃીમાં જ સમૂળી ક્રાંતિ સમાયેલી હતી. આમ રૂઢિમાં સૌમ્યતાથી અગ્નિ'ત્ય ફેરફાર કરવાની તેમની ધગશ એ જશું તેમના ક્રાંતિકારીપણાના સબળ પુરાવા નથી ? સમાજક્ષેત્રે શ્રીમદ્ભુ ક્રાંતિકારીપણું શ્રીમદ્દના સ્વભાવ શાંત અને મનનશીલ હતા, તેમનું ચિંતન પણ આત્મલક્ષી હતું. તેથી માહ્યલક્ષી સાહિત્ય જેમ કે વાર્તા, નવલકથા, નાટક, પ્રવાસવર્ણન વગેરે તરફ તેમની વૃત્તિ સ્વાભાવિક રીતે જ વળેલી ન હતી. તેમ છતાં તેમણે તેવું થાડુ ઘણું લખાણ પેાતાની વીસ વર્ષની વય પહેલાં લખ્યું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy