SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા “સાહેબજી પેાતે સવારમાં સ્નાન કર્યા બાદ બે-ત્રણ કલાક સુધી સૂત્રો વાંચતા, તે એવી રીતે કે એક પાનું લીધું. બીજું ફેરવ્યું એમ અનુક્રમે પાનાં ફેરવી જતા. જેમ ટ્રેન ચાલતી હોય તેમ ખેાલી જતા. વળી સાહેબજીએ માત્ર ગુજરાતીના જ અભ્યાસ કરેલેા હતા, પણ ગમે તે ભાષામાં ખેાલી શકતા, વાંચી શકતા અને વિવેચન કરી શકતા. તેથી મને ઘણું જ આશ્ચય લાગતું. ”પપ આવી ઝડપથી વાંચતા હોવા છતાં તેમને ગ્રથના ઘણાખરા ભાગ સ્મૃતિમાં રહી જતા. પેાતાને મળતી અવકાશની પ્રત્યેક પળ તેએ ધર્માભ્યાસ પાછળ ગાળતા. પેઢી પર પણ વેપારકા માંથી થેાડી નિવૃત્તિ મળે એટલે પાસે રાખેલુ ધ પુસ્તક વાંચવામાં તેએ તલ્લીન બની જતા. વળી પ્રત્યેક વર્ષના અમુક માસ તેએ ગુજરાતનાં ગામડાંઓમાં નિવૃત્તિ અથે રહેતા. ત્યારે તેમનેા સમય મુખ્યત્વે થવાચન અને તત્ત્વવિચારણામાં જ પસાર થતા. આમ તેમનું જ્ઞાન દિવસે દિવસે વધતુ જતુ હતુ. અને તેમાં તેમના આત્માની શક્તિ સહાયભૂત બનતી. આ બધું જાણનારને તેમના વિશાળ ગ્રંથવાચનની નવાઈ ન લાગે, નહિતર તા માત્ર ૩૩ વર્ષનું જ આયુષ્ય ભાગવનાર શ્રીમદ્ આટલી ભાષાના, કેટકેટલા ગ્રંથાનુ અવલેાકન કઈ રીતે કરી શકયા હશે તેનુ આશ્ચય થયા વિના રહે નહિ. રે આજે ઉપલબ્ધ થતા શ્રીમના સાહિત્યમાં લગભગ સવાસેા જેટલા વિવિધ ગ્રંથેાના અભ્યાસના ઉલ્લેખ મળે છે. તેમાં ઠાણાંગ, ઉત્તરાધ્યયન, ભગવતી આચારાંગ, સૂયગડાંગ, દશવૈકાલિક, નદી, સમવાયાંગ, આદિ જૈન આગમસૂત્રો, અધ્યાત્મકલ્પદ્રુપ, અષ્ટપ્રાભૂત, આત્માનુશાસન, કર્મ ગ્રંથ, ગામટસાર, જબુદ્વીપપ્રજ્ઞપ્તિ, તત્ત્વાર્થ સૂત્ર, દેવાગમસ્તેાત્ર, પદ્મન દી પંચવિ'શતી, પ્રવચનસાર, ભગવતી આરાધના આદિ જૈન ધર્મગ્રંથા, ચેાગવાશિષ્ઠ, ભાગવત, વિચારસાગર, મણિરત્નમાળા, પ’ચીકરણ, વૈરાગ્યશતક, દાસબાધ, સુંદરવિલાસ, પ્રમાધશતક આદિ વેદાંતના ગ્રંથા; તથા ગીતા આદિ જેવા અન્ય ગ્રંથાનાં ઉલ્લેખ તથા અવતરણા મળે છે. આ બધા ઉપરાંત પ્રકરણ રત્નાકર, સ્વાદયજ્ઞાન, આનંદધનચાવીશી, ૫ચાસ્તિકાય, સમયસાર નાટક, ઉદ્ધવગીતા, શ્રીપાલરાસ, દેવાગમસ્તેાત્ર (આસમીમાંસા), ચેાગશાસ્ત્ર, સમાધિશતક, લેાકતત્ત્વનિણૅય આદિ ગ્રંથામાંથી લગભગ ૧૫૦ જેટલાં જુદાં જુદાં અવતરણા અને ઘણી જગ્યાએ તેની વિસ્તૃત સમજણ પણ શ્રીમના સાહિત્યમાં આપેલી છે. 9 નરસિ‘હ, મીરાં, અખે, છેાટમ, પ્રીતમ, કબીર, દયારામ, સુંદરદાસ, મુક્તાન'દ, ધીરા, સહજાનંદ, આદિ ભક્તકવિઓનાં પદોને પણ તેમણે અભ્યાસ કર્યો હતા. તેમણે લખ્યું છે ઃ “ અખાજીના વિચારો ઘણા સ્વસ્થ ચિત્તથી વાંચ્યા હતા. મનન કર્યા હતા.પ૬ “ કણબી અને કાળી જેવી જ્ઞાતિમાં પણ માને પામેલા થોડા વર્ષમાં ઘણા ૫૫. “શ્રીમદ્ રાજચંદ્ર અર્ધ શતાબ્દી સ્મારક ગ્રંથ', પૃ. ૯૮. ૫૬. “ શ્રીમદ્ રાજચંદ્ર', અગાસ આવૃતિ ૧, પૃ. ૨૩૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy