SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમની જીવનસિદ્ધિ - શ્રીમદ્દ પર્યુષણ પર્વ સિવાય આ રીતે ક્ષમાપના યાચતે પત્ર લખ્યો હોય તેમ બન્યું નથી. આ પહેલે જ એ પત્ર મળે છે કે જેમાં તેમણે પર્યુષણ પર્વ સિવાયના સમયે ક્ષમાપના ઈરછી હોય. આ પરથી એવું અનુમાન થાય છે કે શ્રીમને શ્રી ભાગભાઈના અંતસમયને ખ્યાલ આવી ગયો હોવો જોઈએ. જો એમ ન હોય તે સમાધિમરણને લગતા તથા ક્ષમાપના ઈચ્છતા પત્ર લખવાનું કાઈ પ્રયોજન નહોતું. આ પત્ર લખાયા પછી થોડા જ દિવસમાં એટલે કે જેઠ વદ ૧૦ – ૧૯૫૩ના રોજ – શ્રી ભાગભાઈનું સમાધિમરણ થયું એ પરથી ઉપરની માન્યતાને વિશેષ બળ મળે છે. શ્રીમદ્દ પર સેભાગભાઈની અસર શ્રીમદને પણ પહેલી જ મુલાકાત વખતે શ્રી ભાગભાઈ પ્રતિ રાગ ઊપજ્ય હતું. તેમના સરળતા આદિ ગુણે જોઈ તેમના પ્રતિ શ્રીમદ વિશેષ આકર્ષાયા હતા, અને શ્રીમદને તેમના પ્રત્યે એ રાગ દિવસે દિવસે વધતો ગયો હતો, -- અલબત્ત, એ રાગ માત્ર પરમાર્થમાર્ગ પૂરતા મર્યાદિત હતો. પહેલા મેળાપ પછીના થોડા દિવસે લખાયેલા પત્રમાં જ તેમણે શ્રી સોભાગભાઈના સત્સંગની ઈરછા દર્શાવી છે, વિ. સં. ૧૯૪૬ના ભાદરવા સુદ બીજના પત્રમાં તેમણે લખ્યું છે કે - આપને સમાગમ અધિક કરીને ઇચ્છું છું; ઉપાધિમાં એ એક સારી વિશ્રાંતિ છે.”૮૮ અને તેમની આ ઈછા પછીથી પણ ચાલુ જ રહેલી જોવા મળે છે. શ્રીમની ઇચ્છા તે એવી જ હતી કે શ્રો ભાગભાઈના સમાગમ નિરંતર મળ્યા કરે તે સારું. જુઓ તેમનાં આ વચને – સુધાની ધાર પછીનાં કેટલાંક દર્શન થયાં છે, અને જે અસંગતાની સાથે આપને સત્સંગ હોય તો છેવટનું પરિપૂર્ણ પ્રકાશે તેમ છે, કારણ કે તે ઘણું કરીને સર્વ પ્રકારે જાણ્યું છે.”૮૯ - મહા સુદ ૯, ૧૯૪૭ના પત્રમાંથી. ઉદાસીનતા ઓછી થવા આપે બે ત્રણ દિવસ અત્ર દર્શન દેવાની કૃપા બતાવી, પણ તે ઉદાસીનતા બે ત્રણ દિવસના દર્શનલાલે ટળે તેમ નથી. પરમાર્થ ઉદાસીનતા છે. ઈશ્વર નિરંતરને દર્શનલાભ આપે તેમ કરે તે પધારવું નહીં તે હાલ - ફાગણ વદ ૧, ૧૯૪૭ના પત્રમાંથી. “હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારે સત્સંગ નિરંતર ઇચ્છીએ છીએ.”૯૧ – અષાઢ સુદ ૧૩, ૧૯૪૭ના પત્રમાંથી. ૮૮-૮૯. “શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ, આંક ૧૩૩-૧૯૭ ૯૦. એજન, આંક ૨૧૯. ૯૧. એજન, આંક ૨૫૫. નહીં. ” ૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy