SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા વયથી શરૂ કરી તેમના જીવનના અંતસમય સુધી લખાયેલા પત્રો વર્ષવાર અને માસવાર મળે છે. શ્રીમદ્નના વિચારોમાં કયા પ્રકારના ફેરફારા થયા, તેમની આધ્યાત્મિક કક્ષા કઈ રીતે ઉચ્ચ થતી ગઈ તે એટલે કે એમના ક્રમિક વિકાસ પણ આપણને આ પત્રોમાંથી જાણવા મળે છે. વળી, આ પત્રો તે તે વ્યક્તિઓને અગત રીતે પ્રસિદ્ધિના કોઈ પણ હેતુ વિના લખાયેલ છે એટલે તેમાંની નૈસિર્ગકતા પૂરેપૂરી જળવાઈ રહી છે. આ પત્રો જો ઉપલબ્ધ ન હાત તેા આત્માની કથા કયા ક્રમમાં વિકાસ પામતી જાય છે, તે જાણવાનું એક અમૂલ્ય સાધન આપણી પાસેથી છીનવાઈ ગયુ. હાત. પત્રો જેવી જ અગત્યની, બલ્કે તેથી પણ વધુ અગત્યની કૃતિ તે “ આત્મસિદ્ધિશાસ્ત્ર”. શ્રી સેાભાગભાઈની વિનંતીને માન આપી વિ. સ`. ૧૯૫રના આસે। વદ એકમે તેમણે માત્ર બે કલાકના સમયમાં તેની રચના કરી હતી. તેના ૧૪ર દોહરામાં આત્મા છે, તે નિત્ય છે, કર્તા છે, તે ભાક્તા છે, મેાક્ષ છે અને મેાક્ષના ઉપાય છે – એ છ પદને તેમણે ગુરુ તથા શિષ્યના સવાદ દ્વારા સિદ્ધ કર્યાં છે. પ્રત્યેક પદના અસ્તિત્વ માટે શિષ્ય શંકા કરે છે અને ગુરુ તેની શંકાનું સમાધાન કરે છે. આ ઉપરાંત તેમાં આત્માથી, મતાથી, સદ્ગુરુ, આત્મા વગેરેનાં લક્ષણાના પણ સમાવેશ શ્રીમદ્દે કર્યાં છે. અંતમાં શિષ્યને સાચી સમજણ પ્રાપ્ત થાય છે, અને સાચી સમજણ આપવા બદલ તે ગુરુના અત્યંત ઉપકાર માને છે. કાઈ પણ દર્શનને વખેડયા વિના તેમાં જૈનદર્શનની ઉચ્ચતા ખતાવી છે. મતમતાંતરમાં પડવા વિના, બાહ્યક્રિયામાં રાચ્યા વિના, આત્મશ્રેય કરવા માટે કર્યાં મા સ્વીકારવા જોઈ એ ૩૯ ,, ટૂંકમાં છતાં સચાટતાથી અને ક્રમપૂર્વક જણાવી દીધું છે, “ દ્રવ્યાનુયાગ ”ને વર્ણવતુ “ આત્મસિદ્ધિશાસ્ત્ર ” સરળ ભાષામાં રચાયેલું હાવાને લીધે તેને સમજવામાં કેાઈ ને મુશ્કેલી પડે તેમ નથી. આમ છતાં તેમાં એટલાં બધાં તત્ત્વાના સમાવેશ કરેલા છે કે જ્ઞાની પુરુષ ધારે તા ૧૪૨ ગાથા ઉપર ૧૪૨૦૦ લેાક રચી શકે એમ શ્રીમદ્ ાતે જ એક વખત કહ્યું હતું. તેમની ઉચ્ચ પ્રતિભાના પુરાવા આપતું “ આત્મસિદ્ધિશાસ્ત્ર ” તેમની ઉત્તમાત્તમ રચના છે. <C શ્રીમદ ૨૯ વર્ષની વયે, એક જ બેઠકે રચેલું “ અપૂર્વ અવસર” પણ એટલું જ ઉત્તમ કાર્ટિનું કાવ્ય છે. માત્ર આ એક જ કાવ્ય શ્રીમદ્દે રચ્યુ હાત તેપણ તેમને કવિ કહેવડાવવા માટે તે પૂરતુ હતુ. આ રચનામાં પેાતાની અંતર`ગ સ્થિતિ વધુ વવાની સાથે જૈન પરિપાટી અનુસાર આત્માની ચેાથાથી શરૂ કરી ચૌદમા ગુણસ્થાન સુધીની ભૂમિકાનુ વર્ણન કર્યું છે. અને તેની ગાઠવણી તથા રચના એટલાં સુદર થયાં છે કે તેને કાવ્યકળાના ઉત્તમ નમૂના ” પૂ. સંતબાલજી ગણાવે છે. આ કાવ્યમાં કડી તેા માત્ર ૨૧ જ છે, પણ તેમાં એકએક શબ્દ એવા તાળીતેાળીને મુકાયા છે કે એમાંથી એકાદ શબ્દે પણ કાઢી નાખતાં આખી રચનાને ભગાડી મૂકવા જેવી પરિસ્થિતિ સર્જાય છે. જૈન તેમજ જૈનેતર અને સમાજમાં સરખી રીતે લેાકપ્રિય બનેલું આ કાવ્ય તેની ઉત્તમતાને લીધે પૂ. ગાંધીજીને પણ એટલું જ પ્રિય હતું, અને તેથી “ આશ્રમભજનાવલી ”માં તેને તેમણે સ્થાન આપ્યું હતું. એક જ બેઠકે પૂરી કરાયેલી કૃતિએ “ આત્મસિદ્ધિશાસ્ર ” તેમજ “ અપૂર્વ અવસર ”ની હસ્તલિખિત પ્રતા જોતાં ખ્યાલ આવે છે કે શ્રીમદ્દે તે કૃતિઓમાં ભાગ્યે જ શાબ્દિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy