SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રીમતી જીવનસિદ્ધિ સત્પુરુષો ઉપકાર અર્થે જ ઉપદેશ કરે છે તે શ્રવણ કરે, ને વિચારે તેા જીવના દોષો અવશ્ય ઘટે, પારસમણિના સંગ થયા, ને લાઢાનુ' સુવર્ણ ન થયુ. તે કાં તે પારસમણિ નહિ, અને કાં તે ખરુ' લેાઢું નહિ. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન થાય તે ઉપદેશ કાં તે સત્પુરુષ નહિ, અને કાં તે સામા માણસ યેાગ્ય જીવ નહિ. ચેાગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તે ગુણા પ્રગટયા વિના રહે નહિ. ૨૯ 66 ચેાગ્ય જીવને સૌથી ઉપકારી સાધન સત્પુરુષ છે એમ તેએ દર્શાવે છે. સાથે સાથે પ્રત્યેક જીવ માટે સત્પુરુષની આજ્ઞા માનવી, જ્ઞાનીની આજ્ઞા પૂર્ણપણે પાળવા પ્રયત્ની થવું તે કલ્યાણકારી છે, એ પણ વારંવાર તેમણે સમજાવ્યુ છે. જ્ઞાનીની આજ્ઞાના આરાધન વખતે પણ માયા, લાભ આદિ જીવને કેવી રીતે છેતરે છે, ભુલાવામાં નાખે છે, તે પણ દૃષ્ટાંત સાથે તેમણે જુદી જુદી જગ્યાએ બતાવ્યું છે. જીવ જો સવળેા થઈ ને મેાહનીય આદિના ઉદયને પચાવી જાય તો તેનું કલ્યાણ થયા વિના રહે નહિ તેવા શ્રીમના નિશ્ચય અહી' જોવા મળે છે. એ સુદર પિરણામ મેળવવા માટે જીવની કેવી ચેાગ્યતા જોઈ એ, એ ચેાગ્યતા મેળવવા કેવા સત્પુરુષ જોઈએ, તે સત્પુરુષનાં લક્ષણા કેવાં હાય તે તેમણે જુદી જુદી જગ્યાએ ઉપદેશેલુ છે. “ ઉપદેશછાયા ”માં આવુ' જ ખીજું તત્વ જોવા મળે છે, તે છે ધર્મનાં અને ખીજા મતમતાંતીથી દૂર રહેવાના ઉપદેશ. જૈનધર્મમાં વર્તમાન સમયમાં અનેક ફાંટા પડી ગયા છે : દિગ‘ખર, શ્વેતાંબર, મૂર્તિપૂજક, તપા, ુઢિયા, લાંકાગચ્છ વગેરે અનેક ભેદ છે. આ ખંધાઈ ગયેલા જુદા જુદા વાડામાંથી કેઈ પણ એક સાથે બધાઈ ન રહેતાં, તે બધાથી પર રહી, શ્રી તીથ 'કરપ્રભુએ દર્શાવ્યા છે તે માર્ગે જઈ આત્માનુ* કલ્યાણ કરવાના ઉપદેશ તેમણે આપ્યા છે. આત્મા કેવા છે, તેના કયા કયા ગુણ છે, તે કઈ રીતે પ્રગટે એ મુખ્યપણે જાણી, તે પ્રગટાવવા પ્રયત્ન કરવા. અને તે ગુણેા આવશે એટલે જ્ઞાન થતાં આપેાઆપ આ સવ મતભેદોના દોષોનું નિરાકરણ થશે, તથા ઊઠતી શકાઓનું પણ સમાધાન થશે. પરતુ જો ચેાગ્યતા વિના તે બધાનું નિરાકરણ કરવા જીવ પ્રયત્ન કરે તે તેમાંથી મતમતાંતરનું પ્રમાણ વધશે અને દુરાગ્રહ વધશે. આથી આ બધા મતભેદોથી દૂર રહી તેમણે આત્મકલ્યાણ સાધવા ઉપદેશ્ય છે. આવા મતભેદોમાં ન રાચવાનું જણાવતાં તેઓ ઉપદેશ છેઃ—— “ આત્માપેક્ષાએ કછુખી, વાણિયા, મુસલમાન નથી. તેના જેને ભેદ મટી ગયા છે તે જ શુદ્ધ, ભેદ ભાસે તે જ અનાદિની ભૂલ છે. કુળાચાર પ્રમાણે જે સાચુ' માન્યુ તે જ કષાય છે.’૩૦ “ સાચે મા એક જ છે; માટે આગ્રહ રાખવા નહિ. હું હુંઢિયે। છું, હુ' તપેા છું, એવી કલ્પના રાખવી નહિ. દયા, સત્ય, આદિ સદાચરણ મુક્તિના રસ્તા છે, માટે સદાચરણુ સેવવાં, ’૩૧ ૨૯. શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ પૃ. ૭૧૦. ૩૦. એજન, પૃ. ૭૧૧, ૩૧. એજન, પૃ. ૭૨૯. "6 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy