SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ની જીવનસિદ્ધિ કેવળજ્ઞાનમાં ત્રણે કાળનુ જ્ઞાન કેવી રીતે સભવે તે વિશે શ્રીમદ્દે વિચાર કર્યા હતા. વર્તમાનકાળના પદાર્થો જે પ્રમાણે વર્તમાનકાળમાં દેખાય છે, તેમ ભૂતકાળના પદાર્થો ભૂતકાળમાં જે સ્વરૂપે હતા તે સ્વરૂપે વર્તમાનકાળમાં દેખાય છે, અને ભવિષ્યકાળમાં પદાર્થા જે સ્વરૂપ પામવાના છે તે સ્વરૂપે વર્તમાનકાળમાં દેખાય છે; આમ ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળના પદાર્થાનું જ્ઞાન કેવળજ્ઞાનમાં જ્ઞાનની વિશેષતાને લીધે હાય છે. ૪૨ કેવળજ્ઞાનમાં સમયે સમયનું જ્ઞાન હાય છે, તે વિશે પણ શ્રીમદ્દે કેટલેક વિચાર કર્યા છે. કાળના સૂમમાં સૂક્ષ્મ ભાગ એ “સમય” છે. પદાર્થના સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે પરમાણુ છે, અને અરૂપી પદાર્થીના સૂક્ષ્મમાં સૂક્ષ્મ ભાગ તે પ્રદેશ છે. તે ત્રણે એટલા બધા સૂક્ષ્મ છે કે અનંત નિર્મળ જ્ઞાન ન થાય ત્યાં સુધી તેના સ્વરૂપને ગ્રહણ કરી શકાય નહિ, સામાન્ય સંસારી જીવાના ઉપયોગ અસખ્યાત સમયવતી હોય છે, પણ સોંપૂર્ણ કષાયહિત દશામાં એક સમયવતી ઉપયાગ આવી શકે છે. તેથી . “ એક સમયનું, એક પરમાણુનું અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનના સભવ નથી. ૭૮ આમ સંપૂણૅ કષાયરહિત સ્થિતિને તમે કેવળજ્ઞાન કહે છે. ભૃત, વર્તમાન અને ભવિષ્યનું જ્ઞાન થાય તે જ કેવળજ્ઞાન એવી શાસ્ત્રકારોએ કેવળ જ્ઞાનની મુખ્યપણે વ્યાખ્યા કરી નથી. જ્ઞાનીપુરુષોએ તા જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને કેવળજ્ઞાન કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસાધન કહ્યાં છે. જગતનું જ્ઞાન થવુંએ વગેરે જે કહેલ છે તે અપૂર્વ વિષયનુ ગ્રહણ સામાન્ય જીવાથી થવુ અશકય જાણીને કહ્યુ` છે. કેમ કે જગતના જ્ઞાન પર વિચાર કરતાં કરતાં આત્મસામર્થ્ય જણાય. આત્મા જ્યારે શુદ્ધ જ્ઞાનસ્થિતિને ભજે, તેનુ નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે. સ પ્રકારના રાગદ્વેષના અભાવ થાય ત્યારે અત્યંત શુદ્ધ જ્ઞાસ્થિતિ પ્રગટે છે. લાકા જે હાલમાં કેવળજ્ઞાનની વ્યાખ્યા કરે છે, તે વ્યાખ્યા વિરાધવાળી દેખાય છે. સદેશકાળાદિનુ જ્ઞાન કેવળજ્ઞાનીને હોય એમ જિનાગમના હાલ રૂઢ અર્થ છે. ખીજાં દર્શનમાં એવા મુખ્ય અર્થ નથી, અને જિનાગમથી તેવા અથ લેાકેામાં પ્રચલિત છે, તે જ કેવળજ્ઞાનના અર્થ હાય તા તેમાં કેટલાક વિરાધ દેખાય છે. સચેાગી કેવળીને મન, વચન અને કાયાના સૂક્ષ્મ યાગ છે, કારણ કે તેમની કાયાસહિત સ્થિતિ હાય છે. તે સ્થિતિ હેાવાથી આહારાદ્રિ અર્થે પ્રવૃત્તિ થતાં ઉપયાગાંતર થાય. તે વખતે કેવળીને કેવળજ્ઞાનમાં ઉપયાગ ન વર્તે, અને જો એમ અને તે કેવળજ્ઞાનને અપ્રતિહત કહેલ છે, તે પ્રતિહત થાય. વળી, જો કેવળજ્ઞાનમાં આરસીની જેમ જ્ઞાન પ્રતિબિંબિત થાય છે એવું સમાધાન કરવામાં આવે તેાપણુ પ્રશ્ન થાય તેવુ છે. આરસીમાં પ્રતિષિ’ખિત ૭૮, શ્રીમદ્ રાજદ્ર '', આવૃત્તિ ૫, ખંડ ૨, પૃ. ૨૫૬; અગાસ આવૃત્તિ, આંક ઃ ૬૭૯, 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy