SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા શ્રીમદ્દ રાજચન્દ્રે પણ મારબી, જામનગર, બટાદ, વવાણિયા મુંબઈ આદિ સ્થળાએ અવધાનના પ્રયાગા સફળતાપૂર્વક કર્યાં હતા. તેમણે કરેલા પ્રયાગા કેવા હતા, તથા તેમની અવધાનશક્તિ કયા પ્રકારની હતી તે વિશે જોઈએ. વિ. સં. ૧૯૪૦ આસપાસ મારીમાં શાસ્ત્રી શ`કરલાલ મહેશ્વર ભટ્ટ અષ્ટાવધાનના પ્રયાગા જાહેરમાં કરી બતાવતા હતા. એટલે કે તેઓ આઠ બાબતે એકસાથે ધ્યાનમાં રાખી, ભૂલ વગર તે આઠે ખાખતા ફરીથી કહી કે કરી બતાવતા હતા. એ જ અરસામાં મુંબઈમાં પણ પડિત ગઢુલાલજી અષ્ટાવધાનના પ્રયાગો કરતા હતા. આ સમયે હિંદમાં, જાણવા મુજબ, આ એ જ પુરુષો ચમત્કારી સ્મરણશક્તિવાળા ગણાતા હતા. વિ. સ. ૧૯૪૦માં ૧૬ વર્ષની વયે શ્રીમને મારી આવવાના પ્રસ`ગ બનેલા. તે વખતે શાસ્ત્રી શંકરલાલના અવધાનના પ્રયાગ મારખીના ઉપાશ્રયમાં થયા હતા. એ અવધાન અવલેાકવા આવવાનુ` આમંત્રણ શ્રીમને પણ મળ્યું હતુ. શ્રીમદ્ ઉપાશ્રયમાં ગયા. અને ત્યાં પેાતાની અદ્ભુત સ્મરણશક્તિ દ્વારા અવધાન કઈ રીતે થાય તે તેમણે જાણી લીધું. ખીજે જ દિવસે ખાનગીમાં મિત્ર સમક્ષ તેમણે નવા નવા વિષયે લઈ અષ્ટાવધાન કરી બતાવ્યાં, અને પછીના જ દિવસે બે હજાર પ્રેક્ષક સમક્ષ, તે જ ઉપાશ્રયમાં, તેમણે બાર અવધાન સાપૂર્વક કરી ખતાવ્યાં. અત્યાર સુધી શ્રીમદ્ કવિ તથા વિદ્વાન તરીકે જાણીતા હતા, પણ આ પ્રયાગથી તેઓ તેમની અદ્ભુત સ્મરણશક્તિ માટે પણ સન્માનિત થયા. તે પછી તેમણે મેારખીની હાઈસ્કૂલમાં પણ બાર અવધાનના પ્રત્યેાગ કરી બતાવ્યા હતા, જે માટે તેમને ઇનામ પણ મળ્યુ હતુ. આ પ્રસંગ પછી થાડા વખતે શ્રીમને જામનગર જવાનુ` થયું હતું. ત્યાં પણ તેમણે વિદ્યાના સમક્ષ બાર અને સાળ અવધાના બિંધથી કરી ખતાવ્યાં હતાં. તે જોઈ બધા પ્રેક્ષકા ખૂબ પ્રસન્ન થયા હતા. જામનગરમાં બે વિદ્વાના વર્ષોથી મહેનત કરવા છતાં અવધાન કરવામાં સફળતા મેળવી શકતા નહેાતા, તેથી શ્રીમની આ વિશિષ્ટ શક્તિ જોઈ ને તેમણે ખૂબ પ્રસન્નતા બતાવી હતી. ત્યાર પછી ઓટાદમાં પેાતાના એક લક્ષાધિપતિ મિત્ર સમક્ષ તેમણે બાવન અવધાન કર્યા. હતાં. આ ઉપરાંત જેતપુર, અમદાવાદ આદિ સ્થળાએ પણ અવધાનના પ્રયાગા કર્યા હતા અને સૌથી વધારે પ્રયાગે તેમણે મુખઈમાં વિ. સ. ૧૯૪૨ આસપાસ કર્યાં હતા. એવા એક પ્રયાગના નિર્દેશ તેમણે પ્રા. રવજીભાઈ દેવરાજભાઈ ઉપરના પત્રમાં કર્યો છે. વિ. સ’. ૧૯૪૩માં પ્રેસર પરના પત્રમાં એક કલાકમાં સે। શ્લાક સ્મરણભૂત રહી શકે ?” એવા પ્રશ્નના ઉત્તરમાં અવધાનના ઉલ્લેખ કરતાં તેમણે લખ્યુ છે કે :~ 3 “પડિત ગટુલાલજી મુંબઈનિવાસીનાં અવધાના સબધી આપે બહુએ વાંચ્યું હશે. એએ પડિતરાજ અષ્ટાવધાન કરે છે, તે હિંદ પ્રસિદ્ધ છે,” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy