SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્દની જીસિદ્ધિ તે પછી વિ. સં. ૧૯૯૬-૯૭ આસપાસ પૂ. કાનજીસ્વામીનાં “ અપૂર્વ અવસર એવા કયારે આવશે કાવ્ય પરનાં પ્રવચના ”ની પહેલી આવૃત્તિ પ્રગટ થઈ હતી. તે જ પ્રવચનાની બીજી આવૃત્તિ વિ. સ. ૨૦૧૩માં પ્રગટ થઈ. વિ. સ. ૧૯૯૫માં – ઈ. સ. ૧૯૩૯માં – રાજકાટ મુકામે સાત દિવસ સુધી કાનજીસ્વામીએ “અપૂર્વ અવસર ” કાવ્ય પર પ્રવચના આપ્યાં હતાં, તે પુસ્તકાકારે પ્રગટ થયેલ છે. આમ આ પુસ્તક પ્રવચનેાનુ સ‘કલન હેાવાને લીધે તેની ભાષા વાતચીતના પ્રકારની છે, તેમ જ તેમાંના મુદ્દાઓ પણ ક્રમસર નથી. વળી, કેટલીક જગ્યાએ એમાં પુનરુક્તિ પણ જોવા મળે છે. આમ છતાં આ કાવ્યની ગુણવત્તા અને મહત્તા બતાવવાના સ્તુત્ય પ્રયત્ન અહી જોવા મળે છે. આ એ પુસ્તક પછી પૂ. મુનિશ્રી સતબાલજીનુ “સિદ્ધિનાં સેાપાન” નામનું “ અપૂર્વ અવસર ’ પરનુ` વિવેચનનું પુસ્તક વિ. સ’. ૨૦૦૭માં – ઈ. સ. ૧૯૫૧માં – પ્રગટ થયું. આ પુસ્તકમાં આ કાવ્યના ગંભીર આશય સમજાવવા ઉપરાંત સાધક પોતાનું દીનત્વ પ્રભુ પાસે કખૂલતા હાય તેવી જાતની પના કરીને આ કાવ્યને વિશેષાર્થ સમજાવ્યા છે. આ કાવ્યમાં ૧૪મા ગુણસ્થાનની પ્રાપ્તિ — સિદ્ધપદની પ્રાપ્તિ સુધીના ક્રમ બતાવાયા છે. તેને લક્ષમાં લઈને મુનિશ્રીએ ચેાગ્ય રીતે “ સિદ્ધિનાં સેાપાન ” એવું નામ આ કાવ્યને આપ્યુ છે. ૩૧૬ આ બધાં પુસ્તકાના વિશિષ્ટ ગુણાને લક્ષમાં લીધા પછી, આ આખુ કાવ્ય વધુ વિસ્તારથી તથા ઝીણવટથી સમજવવાના પ્રયત્ન, શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠે તેમના પરમપદ પ્રાપ્તિની ભાવના ” નામના “અપૂર્વ અવસર ” પરના વિવેચનના પુસ્તકમાં કર્યા ગુણસ્થાન - કુમારેાહણ બતાવવાની સાથે આ કાવ્યમાં શ્રીમદ્દે કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાની અભિલાષા વ્યક્ત કરી છે. આ કાવ્યની છેલ્લી ગાથાની પહેલી પક્તિ પ્રાપ્તિનુ” કર્યું... ઘ્યાન મે ઉપરથી શ્રી શેઠ આખા કાવ્યના સાર જણાવતું પરંમપદ પ્રાપ્તિની ભાવના ” એવું શીર્ષક ચૈાયું જણાય છે. “ અહ પરમપદ 25 ,, 66 છે 66 આમ અપૂર્વ અવસર ” એ કાવ્ય પર ચાર વિદ્વાનાએ સ્વતંત્ર પુસ્તકા વિવેચનરૂપે આપેલ છે. આ કાવ્યના ભાવા કે ટૂંકામાં સમજણ આપવાના પ્રયત્ન તા બીજી કેટલીક વ્યક્તિઓએ પણ કર્યાં છે. સવ વિવેચકે। આ કાવ્યની ઉત્તમતા માટે એકમત થાય છે તે જ તેની મહત્તાનુ પ્રમાણ છે. 66 જૈન આગમાની પરિપાટી અનુસાર શ્રીમદ્દે આ કાવ્યમાં કરેલી ગુણસ્થાનવી જીવની કક્ષાની ગાઠવણી વિશે મુનિશ્રી સુતમાલજી તેમના “ સિદ્ધિનાં સેાપાન” નામના પુસ્તકની પ્રસ્તાવનામાં લખે છે કેઃ :-- “ પણ એ વર્ગીકરણ અને ગાઠવણુ એવાં તા ઉત્તમ અને સફળ થયાં છે કે આગ્રાના તાજમહેલ જેમ શિલ્પદુનિયાના અદ્ભુત કળાનમૂના છે, તેમ આ, ગીતા જેવા સ્વ માન્ય ગ્રંથની હરાળમાં આવે એવા આધ્યાત્મિક જગતના આલેશાન મદિરના કળાનમૂના છે, એમ મને લાગ્યું છે. ગીતાની આસપાસ જેમ આખુ આધ્યાત્મિક જગત છે, તેમ આની આસપાસ આધ્યાત્મિક જગતમાંથી કાઢી આપેલા કેવળ મલીદા છે. એ પચાવવા માટે અમુક ભૂમિકા હેઈ એ. પણ જેને પચે એના બેડા પાર. ’૪ ૪. “ સિદ્ધિનાં સેાપાન '', પૃ. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy