SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમની જીવનસિદ્ધિ આમ શ્રીમદ્ ગુરુમુખે આત્માનુ નિત્યત્વ માનનાર જૈન આદિદનાના અભિપ્રાયને સિદ્ધ કર્યાં છે, અને આત્માનું નિત્યત્વ ન સ્વીકારનાર એવા બૌદ્ધ આદિ દાના અભિપ્રાયને પરાસ્ત કર્યાં છે. ૨૯૬ ત્રીજુ` પદ : આત્મા કર્તા છે. આત્માનું અસ્તિત્વ અને નિત્યત્વ શિષ્યને ગુરુ પાસેથી સમજાયું. તે પછીથી તે આત્માના ત્રીજા પદ વિશેની પેાતાની શંકા રજૂ કરે છે. તેને લાગે છે કે આત્મા એ કર્મના કર્તા નથી, તેને કર્તા માનવાથી કેટલાક દોષ આવતા તેને જણાય છે. પાતાની માન્યતા શિષ્ય ત્રણ દોહરામાં મૂકે છે, અને તેનું સમાધાન ગુરુ તે પછીના પ દોહરામાં કરે છે. આમ આત્માના ત્રીજા પદ માટે ૭૧ થી ૭૮ સુધીના કુલ ૮ દોહરાઓ રચાયા છે. આત્મા કર્તા નથી તે વિશે જુદા જુદા વિકા બતાવીને શિષ્ય જણાવે છે કે આત્મા એ કનેા કર્તા નથી. કર્માંના કર્તા કર્મ છે, અથવા કર્માં અનાયાસે, સહજ સ્વભાવથી, થયા કરે છે. જો એમ ન હેાય તે, એટલે કે કર્મના કર્તા આત્મા છે એમ હાય તા, કમ કરવાં એ જીવના ધર્મ છે, જેથી તેની કઢી પણ નિવૃત્તિ ન થાય. આત્મા સદાય છે, અને સત્ત્વાદિ ગુણવાળી પ્રકૃતિ કમના અંધ કરે છે. અથવા તેા જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે, તેથી ઈશ્વરેચ્છારૂપ કમ હૈાવાથી, જીવ કર્મથી અબંધ છે. આવા જુદા જુદા વિકલ્પે। મૂકથા પછી શિષ્ય પાતાની માન્યતાના નિચાડ જણાવે છે કેઃ અસંગ “ માટે મેાક્ષ ઉપાયને, કાઈ ન હેતુ જણાય; કર્મ તણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ” ૭૩ ઉપર જણાવ્યા પ્રમાણે આત્મા કર્મોના કર્તા નથી, અને જે હાય તા તેનુ કર્તાપણુ કદી ન જાય તેવું છે, તેથી મેાક્ષના ઉપાય વિચારવા એ પણ નકામુ છે. જો કદી કર્મથી મુક્તિ જ ન થવાની હોય તેા તેનાથી છૂટવાના ઉપાય શા માટે વિચારવે ? અથવા જો કર્મનુ બંધન જ ન હાય તે પછી છૂટવાના ઉપાયની શી આવશ્યકતા છે ? આમ ત્રણ દોહરામાં શ્રીમદ્દે સાંખ્યાદિ દના, જે આત્માને કર્મના કર્તા તરીકે માનતાં નથી, તેની દલીલા નાનિર્દેશ વિના મૂકી છે. તે સાથે વેદાંત, મૈયાયિક, વૈશેષિક, પાતંજલ વગેરે દના ઈશ્વરને કર્તા તરીકે માને છે, તેની દલીલેા પણ તેમના નામનિર્દેશ વિના મૂકી છે. આમ સરળ ભાષામાં, જે જે દના આત્માને કર્મના કર્તા તરીકે નથી માનતાં, તેમણે પેાતાની માન્યતાના સમર્થન માટેની કરેલી લીલા, શ્રીમદ્દે શિષ્યના મુખમાં શંકારૂપે રજૂ કરી છે. આત્મા કર્તા નથી એવા વેદાંતના મત રજૂ કરતા “ અધ્યાત્મસાર 'માં લેાક છે કે :— Jain Education International 61 न कर्ता नापि भोक्ताऽऽत्मा कपिलानां तु दर्शने । जन्यधर्माश्रयो नायं प्रकृतिः વળિમિની || ’૫૯ ૫૯. “ અધ્યાત્મસાર ’', સમકિત અધિકાર, શ્લોક ૧૦૩: For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy