SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ ૫. આ સિદ્ધિશાસ્ત્ર અહી શ્રીમદ્ ચાર્વાકમતમાં આત્મા નથી ’એમ જણાવવા જે દલીલેા પ્રચલિત છે, તેને પાતાની વાણીમાં શિષ્યની જિજ્ઞાસારૂપે મૂકી છે. ચાર્વાકમતને રજૂ કરતા નીચેના શ્લેાક ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ રમ્યા છે 66 नास्त्येवास्मेति चार्वाकः अहंताव्यपदेशस्य प्रत्यक्षानुपलभतः । રારીનોપત્તિતઃ || ,૪૮ અહીં જણાવ્યા પ્રમાણે પ્રત્યક્ષ દેખાતા નથી માટે આત્મા છે જ નહિ, અને અહતાને વ્યપદેશ તા શરી૨ થઈ શકે છે, એમ ચાર્વાક કહે છે. એટલે કે આત્મા ચક્ષુ ઇન્દ્રિયા વડે દેખાતા નથી, વળી જે જે વસ્તુ જગતમાં છે તે ઇન્દ્રિયા વડે દેખાય છે, માટે જે આત્મા હાય તે તે ઇન્દ્રિય વડે પ્રાપ્ત થવા જોઈએ, પણ તેમ થતુ' નથી, માટે આત્મા નથી. જે કાઈ એવી શંકા કરે કે, “હું સુખી છું”, હું દુઃખી છું” એ આદિ કાણુ એલે છે ? તે તેનું એવું સમાધાન કરે છે કે અહ પણાના જે વ્યવહાર છે, તે તે પ`ચમહાભૂતના સમુદાયરૂપ શરીરે કરીને થઈ શકે છે, માટે આત્મા નથી. એમ ચાર્વાકમતવાળા તથા દેહાત્મવાદીઓ કહે છે.૪૯ 66 અહી” જોઈ શકાશે કે શ્રીમદ્દે ઉપરની જ દલીલેા શિષ્યના સુખમાં, કોઈ પણ દર્શનનું નામ લીધા વિના, જિજ્ઞાસારૂપે મૂકી છે. અને તે પછી ગુરુના મુખે તે શંકાનું સમાધાન આપ્યુ છે. અને એ દ્વારા તેમણે ચાર્વાંકમતની અયેાગ્યતા બતાવી છે. ગુરુએ શિષ્યનું સમાધાન કર્યું છે કે :-- ૧. અનાદિકાળનાં અજ્ઞાનને લીધે આત્માને દેહના પરિચય છે, અર્થાત્ દેહાધ્યાસ છે, અને તે પરિચયને લઈ ને આત્મા દેહરૂપે ભાસે છે. પણ ખરેખર તે આત્મા અને દેહ, મ્યાન અને તલવારની જેમ સ્પષ્ટ જુદા છે, કેમ કે તે બંનેનાં પ્રગટ લક્ષણા જ જુદાં છે. ૨. આત્મા દૃષ્ટિથી દેખાતા નથી, તેનુ સમાધાન બતાવ્યુ` છે કે :~~ Jain Education International જે દેશ છે દૃષ્ટિના, જે અખાધ્ય અનુભવ જે રહે, તે છે જાણે છે રૂપ; જીવ સ્વરૂપ. આત્મા એ દૃષ્ટિથી એટલે કે આંખથી દેખાય તેમ નથી, કારણ કે તે ખુદ આંખના – દૃષ્ટિના જ જોનાર છે. અને જે દેખાય છે તે સના ખાધ કરતાં કરતાં છેલ્લે જે અખાધ્ય સ્વરૂપ –નાશ ન કરી શકાય તેવુ' સ્વરૂપ – બાકી રહે તે જ આત્માનું સ્વરૂપ છે. એટલે કે ૪૮. · અધ્યાત્મસાર ”, સમકિત અધિકાર, શ્લોક ૬૮. 66 ૪. “ આત્મસિદ્ધિ ’માં શિષ્યની શ કારૂપે શ્રીમદ્ જુદાં જુદાં દશ નાના અભિપ્રાય મૂકયા છે, તે કયા દશનના છે તે જણાવવા માટે શ્રી યશોવિજયજીએ રચેલ “ અધ્યાત્મસાર ”માં આપેલ અભિપ્રાયને અહીં આધાર લીધેા છે. ચાર્વાક, બૌદ્ધ, સાંખ્ય, વેદાંત આદિન એવા અભિપ્રાય “ સ્યાદ્વાદમ જરી ’', “ ષડૂદનસમુચ્ચય '', સિદ્ધાંતસાર ” વગેરે ગ્રંથમાં પણ આપેલ છે. "" ૫૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy