SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. પ્રકીણ રચનાઓ ૨૩૯ • આ આજના દિવસને લગતા વિચારા જે કાઈ પણ વ્યક્તિ બરાબર સમજે અને જીવનમાં ઉતારે તેને માટે “ આજના દિવસ” તે કાયમના દિવસ બની જાય એમ છે. આ ઉપરાંત યુવાન, રાજા, કવિ, વકીલ, વૃદ્ધ, આદિને વ્યક્તિગત રીતે સાધીને લખાયેલા સુવિચાર। અહી મળે છે. (6 તુ યુવાન હોય તેા ઉદ્યમ અને બ્રહ્મચર્ય ભણી દૃષ્ટિ કર. 99 66 તું કારીગર હા તે આળસ અને શક્તિના ગેરઉપયાગના વિચાર કરી જઈ આજના દિવસમાં પ્રવેશ કરજે, ”૧૦૫ ટૂંકમાં માણસના કર્તવ્ય વિશે, તેણે દિવસ કઈ રીતે પસાર કરવા તે વિશે વિવિધતાથી તેમણે લખ્યું છે. એ બધાના સારરૂપ ૧૦૭મા ખેલમાં લખ્યુ છે કે — “આ સઘળાંને સહેલા ઉપાય આજે કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા. ,, મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તેવા હાય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હૈાય છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્તે ૮ પુષ્પમાળા ” રચાઈ હાય તેમ લાગે છે. સ“સ્કૃત સુભાષિતાની શૈલીનાં સરળ ગદ્યમાં લખેલાં આ વચનામાં વિચારાની વ્યવસ્થિતતા નથી, અર્થાત્ આ વિચારાનું વિષયવાર વર્ગીકરણ થયેલું નથી. પરંતુ પેાતાને જે જે વિચારા સૂઝતા ગયા તે તે તેમણે ટપકાવી લીધેલા હાય તેમ જણાય છે. એટલે કે પૂર્વીયેાજનાપૂર્વક ચાસ વિષયવાર વગી કરણ કરીને તે તે વિષયેાનું ચિંતન-મનન કરીને શ્રીમદ્ આ વિચાર લખવા બેઠા હાય એવુ' નથી. શ્રીમદ્ માટે તેવી આવશ્યકતા પણ ન હાય, કારણ કે તેમને કેટકેટલી ખાખતાનુ અહે।રાત ચિંતન ચાલતું જ હાય, અને તેએ કશા આ બર વિના પેાતાને જે કંઈ સૂઝે તે સ્વાભાવિકપણે રજૂ કરનારા હતા. આથી આ સુવિચારોમાં કાઈ કાઈ ઠેકાણે કાઈ વિચારનું કે વિચારઅંશનું પુનરુચ્ચારણ થતું જોવા મળશે, તેમ છતાં તેમાં ઝીણવટપૂર્વક જોતાં વિચારામાં કાઈક નાના સરખા ક્રમ પણ રહેલેા જણાશે. અને આ બધું ન હોય તાપણ આટલી નાની ઉંમરે આટલા પુખ્ત, પરિપક્વ વિચારા યેાગ્ય ભાષામાં વિદ્યપણે મૂકવા એ પણ શું આછી વાત છે ? અંતમાં આ વચના માટે તેમણે ૧૦૮મા ખેલમાં આપેલા અભિપ્રાય જોવા ચેાગ્ય છે. “ લાંખી, ટૂંકી કે ક્રમાનુક્રમ ગમે તે સ્વરૂપે આ મારી કહેલી પવિત્રતાનાં પુષ્પાથી છવાયેલી માળા પ્રભાતના વખતમાં, સાયંકાળે અને અન્ય અનુકૂળ નિવૃત્તિએ વિચારવાથી મગળદાયક થશે.” ૧૦૫. શ્રીમદ્ રાજચંદ્ર ’, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૫. .. 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy