SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. માક્ષમાળા આમ પ્રતિક્રમણ સૂત્રની અગત્ય, તેનાથી થતા લાભ આદિ સરળ ભાષામાં સમજાવી, સવારે અને સાંજે એમ દિવસમાં બે વખત પ્રતિક્રમણ કરવાની શાસ્ત્રમાં કરેલી આજ્ઞા તેમણે અહી જણાવી છે. 66 ક્ષમાપના પ્રભુ પાસે કયા પ્રકારની ક્ષમા માગવાની હોય તેના ઉદાહરણરૂપે શ્રીમદ્ નામના ૫૬ મે શિક્ષાપાઠ રચ્યા છે. આ પાર્કનું સૂત્રાત્મક શૈલીમાં રચાયેલુ એકેએક વાકય અસઘન છે. આ ગદ્યપ્રાથનામાં પોતાના દોષા પ્રભુ સમક્ષ ઘણી લઘુતાથી રજૂ કર્યા છે, અને પાતાનું અનાથપણું દર્શાવી, પ્રભુપ્રણીત ધર્મ, મુનિ આદિનું શરણું સ્વીકારી સર્વ પાપથી મુક્ત થવાની અભિલાષા દર્શાવી છે. કરેલાં પાપાના પશ્ચાત્તાપ કરી, સૂક્ષ્મ વિચારથી ઊંડા ઊતરી પાતાના સ્વરૂપની ખાતરી કરીને, ભગવાનનાં કહેલાં વચનામાં નિઃશંક થવાની તથા તેમનાં વચનાએ દર્શાવેલા માર્ગમાં અહારાત્ર રહેવાની અભિલાષા વ્યક્ત કરી છે. ૧૭૩ આ પાઠના મનનથી પાતાના દોષોનું ભાન થવાથી સાચા માર્ગે આવવાની તક જીવને મળે છે. અને એથી કેટલાક મુમુક્ષુએ તા સવારે ઊઠતાંની સાથે અને રાત્રે સૂતી વખતે આ પાઠનું મરણ કરી, પેાતાના દોષાની ક્ષમા માગવાના નિયમ લે છે. એ એિ વિચારતાં આ પાઠ અમૂલ્ય તત્ત્વવિચાર ” જેટલા જ, બલ્કે એથી પણ વધુ અગત્યના ગણી શકાય. તેથી તા લલ્લુજી મહારાજ વગેરે શ્રીમની સંમતિથી આ પાઠનું` વારંવાર મનન કરવાની ભલામણ કરતા. શ્રીમદ્ પણ તે પ્રકારની ભલામણ કરી હાય તેમ જાણવા ¢ મળે છે.૪૦ જીવન ચારિત્રપાલનમાં સૌથી વધુ કાઈ આડખીલીરૂપ હાય તા તે “ પ્રમાદ” છે, એમ શ્રીમદ્ પ્રમાદ ’’ નામના ૫૦ માં પાડમાં સમજાવ્યું છે. ઉન્માદ, ધના અનાદર, આળસ, કષાય આદિને તેમણે પ્રમાદનાં લક્ષણા ગણાવ્યાં છે. પળના પણ પ્રમાદ કરતાં કચારેક બહુ નુકસાન થાય છે, તે જણાવતાં તેમણે લખ્યું છે કે : 37 એક પળ વ્યર્થ ખાવાથી એક ભવ હારી જવા જેવું છે. એમ તત્ત્વની ષ્ટિએ સિદ્ધ છે.’૪૧ કોઈ પણ કાર્ય માં સફળતા મેળવવા પ્રમાદના ત્યાગ કરવા પડે છે, તે ન્યાયે આત્મકલ્યાણના માર્ગમાં તા જીવે એક પળના પણુ પ્રમાદ કર્યા વિના પુરુષાથ ઉપાડવા જોઈ એ, એવુ ક્ષણેક્ષણનું અઢળક મૂલ્ય લેખકે બતાવ્યુ છે. આ પાઠ “ઉત્તરાધ્યયન સૂત્ર”ના દ્રુમપત્રક ” નામના અધ્યયનના સારરૂપ છે, અર્થાત્ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને પ્રમાદ ન કરવા વિશે આપેલા ઉપદેશ અહી સરળ ભાષામાં શ્રીમદ્ સમજાવ્યા છે. 66 ૪૦. “ શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૬૫૫, ૬૭૮ વગેરે. * ૪૧. એજન, પૃ. ૪૯. ધર્મના કાર્યમાં પ્રમાદ ન આવી જાય તે માટે મનને વશ કરવાના તથા બ્રહ્મચર્યપાલનના ઉપદેશ તેમણે “ જિતેન્દ્રિયતા ” નામના ૬૮મા પાઠમાં અને “બ્રહ્મચર્યની નવ વાડ નામના ૬૯મા પાઠમાં આપ્યા છે. "3 ', Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy