SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચદ્રના તેરથી સેાળ વર્ષની ઉ*મરના ગાળા ધમથનના હતા. તે સમયમાં તેમણે અનેક ધર્મ-ગ્રંથોનુ અવલેાકન કર્યું" હતું. પેાતાને મળેલા આ ધર્માનુભવના લાભ ખીજા અનેક જીવાને પણ મળે તેવી તેમની ભાવના હતી. તેથી તે ભાવનાને અનુકૂળ ગ્રંથ રચવાની તેમને ઈચ્છા થઈ હતી. પ્રકરણ ૩ મેાક્ષમાળા પેાતાના ધર્માનુભવને ગ્રંથસ્થ કરવાની સૂચના૧ તેમને તેમના કાકાસસરા તેમજ વેપારકા ના ભાગીદાર શ્રી રેવાશકર જગજીવન તરફથી તથા અન્ય પરિચિત વ્યક્તિએ તરફથી પણ થઈ હતી. આથી બાળકથી વૃદ્ધ સુધીના સર્વાંને ઉપયાગી થાય તેવા ગ્રંથ રચવાની ભાવના દૃઢ બનતાં તેમણે “માક્ષસુમેધ” નામને પદ્યગ્રંથ રચવાની શરૂઆત વિ. સં. ૧૯૪૦ પહેલાં કરી હતી. તેમાં પ્રથમ શતકની પહેલી કડીમાં તેમણે લખ્યુ છે કે : આમ “માક્ષસુબાધ ”ની શરૂઆતમાં તેની રચના કરવાના હેતુ જણાવ્યા પછી આદિપ્રભુ શ્રી ઋષભદેવને વંદન કર્યુ છે. તે પછી પ્રભુના ગુણ વધુ વતી પ્રભુપ્રાર્થના છે. આ રીતે શતકની કુલ ૨૦ કડીએ આજે ઉપલબ્ધ છે; તે પછીથી આ ગ્રંથ અપૂર્ણ રહેલ છે. આ શતકની ભાષા સામાન્ય જનને સમજવામાં કઠણ લાગશે તેવા શ્રીમના અભિપ્રાય થવાથી તેમણે તે શતક અપૂણૅ રાખ્યું હશે, એવુ' અનુમાન થાય છે, તે વિષે આજે વિશેષ માહિતી મળતી નથી. ગ્રંથારંભ પ્રસંગ રગ ભરવા, કાડે કરુ... કામના, ખાધુ ધર્મદ મ ભ હરવા, છે અન્યથા કામના, ભાખ’“ મેાક્ષસુબાધ ” ધર્મ ધનના, જોડે કથુ' કામના, એમાં તત્ત્વવિચાર સત્ત્વ સુખદા, પ્રેરેા પ્રભુ કામના. ”૨ “ મેાક્ષસુમધ ” પછી દષ્ટાંતરૂપે એય આપવાની રચના વિચારી “ મુનિસમાગમ ’ નામના ગદ્યલેખ લખવા તેમણે ચાલુ કર્યાં. આ લેખ પણ પેાતાના ધાર્ચો હેતુ સફળ નહિ કરે એમ લાગવાથી, તેને પણ શ્રીમદ્દે અપૂર્ણ છેાડયો. આ લેખમાં, વિકટ પરિસ્થિતિમાંથી મુક્ત થતાં એક રાજા જૈન ધર્મ તરફ કઈ રીતે વળે છે અને તે ધર્મના બાધ કઈ રીતે ગ્રહણ કરે છે, તે દૃષ્ટાંત દ્વારા બેાધ આપવાનુ` તેમણે વિચાર્યું હતુ. તે લેખના ઘેાડા ભાગ મળે છે.૩ 66 ૧. ગ્રંથરચના કરવાની પ્રથમ સૂર્યના શ્રી રેવાશંકરભાઈએ કરેલી તેની નોંધ શ્રી મનસુખભાઈ કીરતચંદ મહેતાએ “ મેાક્ષમાળા ’’ની પ્રસ્તાવનામાં લીધી હતી. જુએ “ શ્રીમદ્ રાજચંદ્રની જીવનરેખા ”, પૃ. ૧૦૬. ૨. શ્રીમદ્ રાજચંદ્ર”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૧, આંક ૧. ૩. એજન, પૃ. ૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy