SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. ભાગનામેાધ છેડવા વિષે રાજાને કહ્યું. રાજાએ પોતાનું એકત્વ જણાવી તેમાં સંમતિ ન આપી. તેથી નગરમાં કરવાનાં અધૂરાં રહી ગયેલાં કાર્ય પૂર્ણ કરવા જવા તેણે કહ્યું. તે માટે પણ રાજાની એ વૃત્તિ રહેતાં સ'સારના જાતજાતના ભાગ ભાગવ્યા પછી દીક્ષા લેવાનું દેવે રાજાને કહ્યું. આમ અનેક પ્રકારનાં પ્રલાભના સામે રાજા પેાતાના એકત્વ માટે મક્કમ જ રહ્યા. અને અંતે જણાવી દીધું કે, “ હું એકલા જ છું. મને કેાઈ સુખી કે દુઃખી કરી શકે તેમ નથી. તેમ હું પણ કોઈને સુખી કે દુઃખી કરી શકું તેમ નથી, સૌને પેાતાનાં કર્માનુસાર ફળ ભાગવવાં પડે છે. આ બધાં કર્મો વધારનારાં કાર્યો માટે હુ' ઉત્તમ એકત્વથી કેાઈ કાળે ચળનાર નથી ”. રાજાની આ જાતની અડગતા જોઈ દેવે પ્રસન્ન થઈ પોતાનુ સ્વરૂપ પ્રગટ કર્યું, અને રાજાને આશિષ આપી તેએ પાતાના સ્થાને ગયા. (6 ,, પ્રમાણશિક્ષા ” માં શ્રીમદ્ નમિરાજની વૈરાગ્ય જાળવી રાખવા બદલ પ્રશંસા કરી છે. અને જે પ્રસંગથી રાજાને એકત્વ સિદ્ધ થયું તે પ્રસંગ પણ આપ્યા છે. અનેક પ્રકારનાં સુખમાં વિરાજતા નમિરાજને અસહ્ય વેદના આપતા દાહવર નામના વ્યાધિ થયા. અનેક કુશળ વૈદ્યનાં ઔષધો એ વ્યાધિ શમાવવામાં નિષ્ફળ ગયાં. તે વખતે એક મહાકુશળ વૈદની સૂચના અનુસાર મલયંગર ચંદનના લેપ કરવાનુ' નક્કી થતાં, સવ રાણીઓ ચંદન ઘસવા લાગી. ચંદન ઘસતી વખતે રાણીઓએ પહેરેલાં હાથમાંનાં કંકણા એકબીજા સાથે અથડાઈ ખૂબ અવાજ કરવા લાગ્યાં. રાગની પીડામાં એ અવાજ અસહ્ય લાગતાં, મિરાજે ચંદન ઘસવાનું બંધ કરવા જણાવ્યું. તે અવાજ શાંત કરવા રાણીઓએ હાથમાં એકેક જ કકણ રાખી, બાકીનાં કાઢી નાખી ચંદન ઘસવાનું' ચાલુ રાખ્યુ.. અવાજ કઈ રીતે બધ થયા તે બાબતે રાજાએ પૂછતાં જવાબ મળ્યા કે હાથમાં એકેક જ કંકણ હાવાથી અવાજ થતા નથી. આ સાંભળતાં રાજાના ચિત્તમાં વિચારણા ઉદય પામી અને તેમાંથી તેને એકત્વ સિદ્ધ થયું. રાજાએ પેાતાના આત્માને જણાવ્યું કે, “ અહા ચેતન ! તું માન કે તારી એકત્વમાં જ સિદ્ધિ છે, વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સ'સારમાં અનત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભાગવવાનુ. શુ અવશ્ય છે? તેનેા ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો ! આ કણ હવે ખળભળાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે ! અનેક હતાં ત્યારે તે કેવી અશાંતિ ભાગવતું હતું! તેવી જ રીતે તું પણ ક"કણુરૂપ છે. તે કકણુની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુ’ખીરૂપી ક‘કણુ-સમુદાયમાં પડચો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખળભળાટ સેવન કરવા પડશે, અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તા સિદ્ધગતિરૂપી મહા પવિત્ર શાંતિ પામીશ.૨૬ આ રીતે નમિરાજે વૈરાગ્ય પામી દાહવરથી મુક્ત થઈ, પ્રવજ્યા અંગીકાર કરી. આ આખા પ્રશ્ન...ગ શ્રીમદ્દે નીચેની ચાર યક્તિઓમાં આપ્યા છેઃ-~ ૧૮ ૮ રાણી સર્વ મળી સુચંદન ઘસી, ને ચર્ચવામાં હતી, ભૂયો ત્યાં કકળાટ કર્યાંકણ તણા, શ્રોતી નમિ ભૂપતિ; ૨૬. “ શ્રીમદ્ રાજચંદ્ર '', અગાસ આવૃત્તિ ૧, પૃ. ૪૩. cr Jain Education International ૧૩૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy