SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા અને તેની ઝંખના દેહથી ભિન્ન એવા આત્મસ્વરૂપમાં લીન રહેવાની જ હાય છે. સભ્યજ્ઞાનીનાં આ બધાં લક્ષણ્ણા આંતિરક છે. તેથી ખીજા જીવાને તે વિશે ખબર પડતી નથી, પર`તુ જ્ઞાન પામેલા જીવને તે તે વિશે સ્પષ્ટ ખ્યાલ હાય છે. જ્ઞાન થયા પછી જીવને સૌંસારમાં રસ રહેતા નથી. વળી ધન, કીતિ આદિ પૌદ્ગલિક સુખ તેને સાચાં સુખ લાગતાં નથી; તેવાં બાહ્ય લક્ષણાથી જ્ઞાનીને અમુક અશે ખ્યાલ આવે છે, પણ તે જાણનારની પાત્રતા પશુ તેમાં કારણભૂત હૈાય છે. એ રીતે જોતાં શ્રીમદ્ને સમ્યગ્દર્શન – આત્મજ્ઞાન હતું કે નહિ તે સામાન્ય જન માટે નક્કી કરવુ કઠિન છે, તેમ છતાં કેટલાક એવા સચોટ પુરાવા આપણને મળે છે કે જેથી આપણે તેમને જ્ઞાની – આત્મજ્ઞાની કહી શકીએ. પેાતાના પરમાર્થ સખાને સાચા ખ્યાલ આપવા, પેાતાની આંતરિક પરિસ્થિતિ વણુ વતા પુત્રા શ્રીમદ્દે લખ્યા હતા. એથી એમને આત્મજ્ઞાન હતુ. તેવા ઉલ્લેખ જેમાં હોય તેવા પત્રો પર આપણે સૌથી વિશેષ આધાર રાખી શકીએ. આપણે ભાગ્યશાળી છીએ કે એવા ઉલ્લેખ કરતા પત્રો શ્રીમદ્દે લખ્યા છે. ક્ષાયિક સમકિત થયા પછી થોડા જ દિવસે, વિ. સ’. ૧૯૪૭ના કારતક સુદ ૧૪ના રાજ શ્રી સેાભાગભાઈ ને લખ્યું હતું. કેઃ— << આત્મા જ્ઞાન પામ્યા તે નિઃસ ́શય છે, ગ્રંથિભેદ્ન થયા તે ત્રણે કાળમાં સત્ય વાત છે. ૧૧૩ પેાતાની હસ્તનેાંધના એક કાવ્યમાં પણ શ્રીમદ્દે લખ્યુ છે કે :~~~ ઓગણીસસે' ને સુડતાલીસે સમક્તિ શુદ્ધ પ્રકાશ્યું રે, ”૧૧૪ 66 આ પણ તેમને થયેલા આત્મજ્ઞાનના નિર્દેશ કરે છે. શ્રી અ’બાલાલભાઈ ને પણ એક પત્રમાં શ્રીમદ્દે લખ્યુ છે કે ઃ— “ જૈનદનની રીતિએ જોતાં સમ્યક્દર્શન અને વેદાંતની રીતિએ જોતાં કેવળજ્ઞાન અમને સ`ભવે છે. ’૧૧૫ ૧૧ વળી, વિ. સ'. ૧૯૫૨ના એક પત્રમાં શ્રીમદ્દે લખ્યું' છે કે “ અમને સહજસ્વરૂપજ્ઞાન છે, જેથી યાગસાધનની એટલી અપેક્ષા નહિ હાવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી, તેમ તે સસંગપરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશપરિત્યાગમાં સાધવા ચેાગ્ય છે. ૧૧૬ ૧૧૩. શ્રીમદ્ રાજચંદ્ર ”, અગાસ આવૃત્તિ ૧, પૃ. ૨૪૯. ૧૧૪. એજન, પૃ. ૮૦૧, ૧૧૫. એજન, પૃ. ૫૧૭, ૧૧૬, એજન, પૃ. ૧૧૮, હા 66 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy