SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમતી જીવનસિદ્ધિ “ શ્રીમદ્દે લખેલાં ઉપરનાં વચના પરથી આપણે નિશ્ચય કરી શકીએ કે તેમને વિ. સ . ૧૯૪૭ આસપાસ શુદ્ધે સમ્યગ્દર્શન – આત્મદર્શન થયું હતું. આપણા આ નિશ્ચયને તેમના દ્વારા રચાયેલુ' સાહિત્ય પણ સમર્થન આપે છે. ઉદાહરણ તરીકે, “અપૂર્વ અવસર ”માં તેમણે ભાવેલી ભાવના આત્મજ્ઞાની સિવાય કેાઈ ભાવવા સમર્થ નથી. વળી, તે કાવ્યમાંની ત્રીજી કડીની “ દર્શનમેાહ વ્યતીત થઈ ઊપજ્યું। આપ જે” એ પક્તિ તેમને થયેલા સમ્યગ્દર્શન અને જ્ઞાનની વાત જ સૂચવે છે. ૨ એ જ રીતે “ આત્મસિદ્ધિ શાસ્ત્ર ”માં આત્માનાં છ પદની નિરૂપણા તેમણે જે તર્કબદ્ધતાથી ગુરુશિષ્યના સવાદ દ્વારા, સદ્ગુરુનાં, મતાથી નાં, આત્માથીનાં વગેરેનાં લક્ષણો આપીને કરી છે, તેમાં તેમણે જે લક્ષણો ખતાવ્યાં છે, તે ખરેખરા આત્મજ્ઞાની હોય તે જ બતાવી શકે. વળી, આશ્ચર્યની વાત તા એ છે કે બે કલાક જેટલા થોડા સમયમાં એક શબ્દની પણ છેકછાક કર્યા વિના તેમણે સાંગેાપાંગ આત્મસિદ્ધિ” લખી એમના આત્મજ્ઞાનની, ઉચ્ચતર ઇશાની આપણને પ્રતીતિ કરાવી છે. 66 ' આ બે અદ્દભુત રચનાઓ ઉપરાંત “મૂળ મા રહસ્ય ”, “ પથ પરમપદ ખાચા”, “ જડ ચેતન વિવેક 12 વગેરે રચનાઓમાં તેમણે મેાક્ષમાર્ગ નું નિરૂપણુ તથા તત્ત્વવિચારણા જે રીતે કરેલાં છે તે તેમને થયેલા સમ્યજ્ઞાનનાં સાક્ષી છે. સમ્યગ્નાન સિવાય નાની વયમાં આટલી ઉચ્ચ કેટિની રચનાએ કાઈ પણ ન આપી શકે. વળી, તે સિવાયનાં પત્ર, હસ્તનોંધ આદિ અન્ય સાહિત્યમાં તેમણે નિરૂપેલુ' તત્ત્વજ્ઞાન પણ એની જ શાખ પૂરે છે. આ ઉપરાંત તેમણે આત્મસિદ્ધિ”માં આત્માથીનાં લક્ષણો બતાવ્યાં છે, તે રીતે તેમનુ· આચરણ તપાસીએ તાપણુ તેમને આત્મજ્ઞાન સિદ્ધ થયેલું જણાશે. તેમણે “આત્મસિદ્ધિ”માં બતાવેલાં આત્માથીનાં લક્ષણો નીચે પ્રમાણે છે: “ કષાયની ઉપશાંતતા, માત્ર મેક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીયા, ત્યાં આત્મા નિવાસ, ” 32 Jain Education International 44 દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય, હાય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય.” ૧૩૮ “ માહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત; તે કહીએ જ્ઞાની દશા, બાકી કહીએ ભ્રાંત. ” ૧૩૯ “ સકળ જગત તે એ વતુ, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાની દશા, બાકી વાચા .. સાન. ૧૪૦ આત્મજ્ઞાનીની આ દશાનાં લક્ષણો આત્મસિદ્ધિ” તથા અન્ય અનેક સ્થળે પણ તેમણે આપ્યાં છે, તેમાંનાં કેટલાંક લક્ષણો ઉપર પ્રમાણે છે. અહીં બતાવેલાં બધાં લક્ષણો તેમનામાં હતાં, તેવા અભિપ્રાય તેમના પરિચયમાં આવનાર વ્યક્તિએ જણાવે છે. વળી, જો શ્રીમને આ ગુણોના ખ્યાલ ન હેાત કે તેમનામાં એ ગુણો ન હેાત તો તેઓ જે સરળતાથી તે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy