SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય પ્રેક્ષા-સાધના સર્વાગીણ પદ્ધતિ છે, જેમાં અધ્યાત્મનાં અતલ ઊંડાણમાં પ્રવેશ કરી એક બાજુ ચિત્તને નિર્મળ તેમજ કષાયોને તદ્દન ઉપશાન કરવાની પ્રક્રિયા બતાવવામાં આવે છે, તો બીજી બાજુ સ્વાચ્ય-પ્રાપ્તિ માટે આસન, પ્રાણાયામ, તનાવમુકિત તેમ જ માનસિક શાંતિ માટે કાયોત્સર્ગ અને ભાવનાનો પ્રયોગ પણ કરવામાં આવે છે. વ્યક્તિત્વ વિકાસ તેમ જ ભાવ-પરિવર્તન માટે ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા, વેશ્યાધ્યાન તેમ જ અનુપ્રેક્ષાઓનો પ્રયોગ તે પ્રેક્ષાધ્યાનની પોતાની વિશેષતા છે. પ્રાધ્યાનના પ્રાયોગિક પ્રશિક્ષણ દ્વારા હજારો વ્યક્તિઓએ શારીરિક સ્વાથ્ય તેમજ માનસિક શાંતિ પ્રાપ્ત કરી છે, તથા ભાવનાત્મક આવેગોમાં રૂપાન્તરણ વડે સ્વસ્થ, શાંત અને નિર્મળ ચિત્તનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. પ્રસ્તુત પુષ્પ યૌગિક શારીરિક ક્રિયામાં આખાએ શરીરને થોડા જ સમયમાં સક્રિય અને શક્તિશાળી બનાવવાની પ્રવિધિ છે. યોગની આ ક્રિયાઓ સ્વયં પરિપૂર્ણ છે. સમ્યક શ્વાસ અને પેટની સક્રિયતા માટે દસ ક્રિયાઓ પર્યાપ્ત છે. મેરુદંડને સુદઢ લચીલો અને પ્રાણવાન બનાવવામાં મેરુદંડની ક્રિયાઓનો મહત્ત્વપૂર્ણ ઉપયોગ છે. માથાથી પગ સુધીના પ્રત્યેક અવયવને સક્રિય અને શક્તિશાળી બનાવવા માટે તેર ક્રિયાઓ સહજ છે. જે પ્રત્યેક વ્યક્તિ આરામથી કરી શકે છે. આ પુષ્પના લેખક અનુશાસ્તા આચાર્ય શ્રી તુલસીના અંતેવાસી શિષ્ય મુનિ શ્રી કિશનલાલજી છે, જેઓ યોગ-સાહિત્યના અધ્યયન - અધ્યાપનની સાથે સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004808
Book TitlePrekshadhyana Yogik Kriyao
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy