SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ-પદ્ધતિઓના પ્રયોગો અને પ્રશિક્ષણમાં પણ સહભાગી છે. યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીના માર્ગદર્શન નીચે યોજાતી પ્રક્ષાધ્યાન શિબિરો, પ્રેક્ષા-પ્રશિક્ષણ શિબિરો તથા જીવન-વિજ્ઞાન- પ્રશિક્ષણ શિબિરોમાં આસન, પ્રાણાયામ, કાયોત્સર્ગ, ધ્યાન વગેરેના પ્રશિક્ષણની જવાબદારી તેઓ ખૂબ કુશળતાપૂર્વક સંભાળી રહ્યા છે. યુગ-પ્રધાન આચાર્યશ્રી તુલસી અને તેમના ઉત્તરાધિકારી યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞના સતત માર્ગદર્શન અને પરિશ્રમનું જ આ પરિણામ છે કે આજે હજારો લોકો આ આધ્યાત્મિક સાધનાના માર્ગે ચાલી સમસ્યાઓથી મુક્ત શાંત જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. પ્રેક્ષા પધ્ધતિના રૂપમાં માનવજાતિને આ બે મહાન અધ્યાત્મ-મનીષીઓનું અનુપમ વરદાન પ્રાપ્ત થયું છે. અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સર્વાગીણ સાધના-પધ્ધતિ સર્વજનહિતાય, સર્વજન-સુખાય સિધ્ધ થશે. * શારીરિક ક્રિયાઓને સ્પષ્ટતાથી સમજવા માટે અને પ્રયોગ કરવાને માટે તેને સંબંધિત ચિત્રો પણ આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. તેને માટે શ્રી કૈલાસ મહેતાનો સહયોગ પ્રાપ્ત થયો છે. સાધક શ્રી રસિક મહેતાના પરિશ્રમથી આ ઉપયોગી તેમ જ સુંદર પ્રકાશન નીડમ્ ને આટલું જલદી પ્રાપ્ત થઈ શક્યું છે. આશા છે કે પુષ્પોની પરંપરામાં આ પ્રકાશન પણ પાઠકોની રુચિને અનુરૂપ લાગશે. શંકરલાલ મેહતા નિર્દેશક, તુલસી અધ્યાત્મ નીડમ્ જૈન વિશ્વ ભારતી, લાડનૂ Jain Education International For Private Mersonal Use Only www.jainelibrary.org
SR No.004808
Book TitlePrekshadhyana Yogik Kriyao
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1989
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy