SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ કાઢવા માટેની આ અભૂતપૂર્વ પધ્ધતિ છે. રંગોના ધ્યાન કે રંગ-ચિકિત્સાથી સંચિત ઝેરો બહાર નીકળે છે અને ભાવ તથા વિચાર નિર્મળ બને છે. જયારે ભાવ પવિત્ર બને છે, નિર્મળ થાય છે, ત્યારે વિચાર પણ નિર્મળ બને છે. વિચારોનો સંબંધ કષાય સાથે નથી. વિચારોનો સંબંધ મસ્તિષ્ક અને જ્ઞાન સાથે છે. વિચાર, સ્મૃતિ, ચિંતન, વિશ્લેષણ, ચયન, નિર્ધારણ – આ જ્ઞાનની જેટલી શાખાઓ છે, એ બધીનો સંબંધ આપણી અંત:સ્ત્રાવી ગ્રંથીઓ સાથે છે. શરીરમાં તેની અભિવ્યક્તિના બે તંત્રો છે - એક છે ગ્રંથિતંત્ર અને બીજું છે નાડીતંત્ર આપણા ભાવોને ગ્રંથિતંત્ર વ્યક્ત કરે છે અને વિચારોનું નિર્માણ નાડીતંત્ર કરે છે. પ્રથમ છે ભાવ, બીજો છે વિચાર. વિચારથી ભાવ નથી બનતો. પરંતુ ભાવથી વિચાર બને છે. જે વેશ્યાનો ભાવ હોય છે, તેવો જ વિચાર બને છે. ભાવ અંતરંગ-તંત્ર છે અને વિચાર કર્મ-તંત્ર છે. આ ક્રિયા કરનાર તંત્ર છે ભાવ. એટલા માટે આપણે વિચારો પર વધારે ધ્યાન આપવાની જરૂરત નથી. વિચારો પર તે લોકો ધ્યાન આપે જે બહારને બહાર જ ફરે છે. જે અંદરની યાત્રા કરી રહ્યા છે તેમને વિચારો પર ધ્યાન આપવાની જરૂરત નથી. તેઓ ભાવ પર જ ધ્યાન આપે, ભાવને પવિત્ર બનાવે. ભાવને નિર્મળ બનાવવા માટે સૌથી સહેલો ઉપાય છે - રંગોનું ધ્યાન કરવું. આ ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે. પ્રશસ્ત રંગોનું ધ્યાન ભાવોને નિર્મળ કરવામાં મદદરૂપ થાય છે. લાલ, પીળો અને સફેદ - આ ત્રણે રંગ ભાવદ્ધિના કારણ છે. જયારે આપણે પ્રશસ્ત રંગોનું ધ્યાન કરીએ છીએ અને તેમનામાં તન્મયતા પ્રાપ્ત કરીએ છીએ, ત્યારે આપણા ભાવો પરિવર્તિત થઈ જાય છે. પછી વિચારવાની કે પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી, તે સાહજિક રીતે જ બદલાઈ જાય છે. બધા સ્પંદનો બદલાઈ જાય છે, નિર્વીર્ય બની જાય છે. સાથોસાથ કષાય-વિલય, મૂચ્છ-વિલયના જે સ્પંદનો હોય છે, તેમને શક્તિ મળે છે અને તેઓ સક્રિય બની જાય છે. આપણે ભાવોનું પરિવર્તન કરીને વેશ્યાઓને શુદ્ધ કરીને ભાવ સંસ્થાનને ગંગાજળ જેવું નિર્મળ બનાવીએ, ગંગોત્રી જેવું પવિત્ર બનાવીએ અને શરીર, મન તથા અધ્યાત્મની ચિકિત્સા કરીએ. આપણે શરીરના દોષો અને અપાયો (પાપો), મનના દોષો અને અપાયો - આ બધા અપાયોને સમાપ્ત કરીએ અને ઉપાયોનો પ્રયોગ કરીએ. એવી સ્થિતિમાં વેશ્યાનો સિદ્ધાંત માત્ર તાત્વિક સિદ્ધાંત નહીં રહે, તે આપણા માટે ચિકિત્સાની સંપૂર્ણ પદ્ધતિ બની જશે. Jain Education International For Private Zersonal Use Only www.jainelibrary.org
SR No.004807
Book TitlePrekshadhyana Leshya Dhyana
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy