________________
પરંતુ જયાં ખરાબ ચિંતન વ્યક્તિને તરંગાતીત દિશાથી વિમુખ કરી દે છે, ત્યાં સારું ચિંતન તે દિશામાં પ્રગતિ કરાવી શકે છે.
ખરાબ વિચારમાંથી નીકળી સારા વિચારમાં આવવાનો સૌથી સરળ ઉપાય છે - વેશ્યા ધ્યાન. આ ધ્યાનનો અભ્યાસ કર્યા સિવાય ચિંતનને વાળી શકાતું નથી, સામાજિક સંબંધોના કારણે વ્યકિતમાં શત્રતાના ભાવો આવતા રહે છે, બીજાનું અનિષ્ટ કરવાની ભાવના તેનામાં વિકસે છે. અપ્રિય વ્યક્તિ સામે આવતાં જ આંખો લાલ થઈ જાય છે. વિરોધી વ્યક્તિની યાદ આવતાં જ આખી ચિંતન-ધારા પ્રકંપિત થઈ જાય છે. આ પ્રતિક્રિયાઓને ત્યાં સુધી રોકી શકાતી નથી, જયાં સુધી વેશ્યાઓનું ધ્યાન કરવામાં આવતું નથી. પ્રશસ્ત લાલ, પ્રશસ્ત પીળો અને પ્રશસ્ત શ્વેત રંગનું ધ્યાન કરી આપણે આંતરિક પ્રક્રિયાને બદલી શકીએ છીએ અને મનની આંતરિક પ્રક્રિયા દ્વારા ફરી પાછું તે રંગોમાં પરિવર્તન શરૂ થાય છે. ત્યારે આપણે બહારથી અંદરને પ્રભાવિત કરીએ છીએ અને અંદરથી બહારને પ્રભાવિત કરીએ છીએ.
અંતવૃતિઓની શુદ્ધિ માટે તેજ અને પદ્મ લેશ્યાનું ધ્યાન કરવું જોઈએ. ખરાબ વિચારો ન ઉદ્ભવે, ખરાબ વિચારો આપણને ઘેરી ન લે, આપણા મસ્તિષ્કને પ્રભાવિત ન કરે, એટલા માટે શલ લેગ્યાનું ધ્યાન કરવું પડશે. આપણે એક એવા કવચ (રક્ષણ)નું નિર્માણ કરીએ કે જેને ભેદીને ખરાબ વિચારો આવી ન શકે. તે બહારના બહાર જ રહી જાય, આપણા મસ્તિષ્કમાં ન આવે. શુક્લ લેશ્યા દ્વારા જો આપણે એક શકિતશાળી કવચ બનાવી લઈએ તો બહારના ભયથી બચી જઈએ. જો આપણે તેજસુ અને પદ્મ વેશ્યાનું કવચ બનાવી લઈએ તો અંદરથી ઉત્પન્ન થનાર ખરાબ વિચારોના આક્રમણથી બચી જઈએ. પછી સારા વિચારોના તરંગો ઉત્પન્ન થવા શરૂ થઈ જાય છે અને એ તરંગો ખૂબ સહયોગી બને છે. એ આપણી અધ્યાત્મ-યાત્રામાં આગળ વધવામાં મદદરૂપ થાય છે. જો કે વેશ્યા પોતે જ તરંગ છે પરંતુ નિરંગની દિશામાં પ્રસ્થાન કરવા માટે લેશ્યા-ધ્યાન ખૂબ જ સહાય કરે છે. ચિકિત્સા પધ્ધતિ
આપણા સમગ્ર ભાવતંત્ર પર રંગોનું પ્રભુત્વ છે. રંગો દ્વારા શારીરિક રોગો મટાડી શકાય છે, માનસિક દુર્બળતાઓનો નાશ કરી શકાય છે અને આધ્યાત્મિક મૂર્છાને તોડી શકાય છે. વેશ્યા-પધ્ધતિ આધ્યાત્મિક મૂચ્છને નષ્ટ કરવાની મહત્વપૂર્ણ ચિકિત્સાપદ્ધતિ છે. પ્રદુષિત ભાવો અને વિકૃત વિચારો દ્વારા જે વિષ શરીરમાં ઉત્પન્ન થાય છે, જે વિષ એકત્રિત થાય છે, તેને બહાર
33.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org