________________
પદાર્થને પ્રેરિત કરે છે. લાલ કિરણો ગરમી પેદા કરે છે અને શરીરમાં શક્તિનો સંચાર કરે છે. આ કિરણો લીવર અને માંસપેશીઓ માટે લાભપ્રદ હોય છે. લાલ રંગ મસ્તિષ્કના જમણા ભાગને સક્રિય રાખે છે. લાલ કિરણો શરીરના ક્ષારદ્રવ્યોને તોડીને આયોનાઇઝેશન કરે છે. આ આયોન્સ વિધુત-ચુંબકીય શકિતના વાહક હોય છે.
મનોવિજ્ઞાનની દષ્ટિથી લાલ રંગને સ્વાથ્યપ્રદ માનવામાં આવે છે. તે રોગ-પ્રતિરોધાત્મક હોય છે.
જો લાલ રંગનો મર્યાદાથી વધારે પ્રયોગ કરવામાં આવે તો તે તાપ તથા અધિક ગરમી પેદા કરે છે. તેની સાથે નીલા રંગનો યોગ થવો જરૂરી છે. પીળો રંગ (Yellow colour)
આ રંગ નાડીઓને સક્રિય બનાવે છે અને માંસપેશીઓને શકિતશાળી બનાવે છે. તે મૃતકેશિકાઓને સજીવ પણ કરે છે અને તેમને સક્રિય પણ કરે છે. તેમાં ધન ચુંબકીય વિધુત હોય છે. આ વિધુતનાડીમંડળને શકિતશાળી અને મસ્તિષ્કને સક્રિય કરે છે.
પીળો રંગ બુદ્ધિ અને દર્શનનો રંગ છે, તર્કનો નથી. તેનાથી માનસિક કમજોરી, ઉદાસીનતા વગેરે દૂર થાય છે. આ પ્રસન્નતા અને આનંદનો સૂચક રંગ છે. આછો પીળો કે લીલો પીળો (Lemon colour)
આ મગજને ઉત્તેજિત કરનાર રંગ છે. થાઇમસ ગ્લેન્ડમાં યુરેનિયમ હોય છે. એ શારીરિક સંવર્ધનમાં સહાયક થાય છે. જયારે યુરેનિયમ ખલાસ થઈ જાય છે, ત્યારે વિકાસ અટકી જાય છે. લીલો-પીળો રંગ થાઇમસ ગ્લેન્ડને સક્રિય બનાવે છે. તેમાં લીલા અને પીળો બંને રંગોનાં ગુણો હોય છે. નારંગી રંગ
નારંગી રંગ લાલ અને પીળા રંગનું મિશ્રણ છે. આ રંગ તાપ, અગ્નિ, સંલ્પ અને ભૌતિક શકિતઓનો વર્ધક રંગ છે. એ શ્વાસને પ્રભાવિત કરે છે અને થાઇરોઇડ ગ્લેન્ડને સક્રિય કરે છે. આ રંગના પ્રકંપનો ફેફસાને વિસ્તૃત બનાવે છે અને શક્તિશાળી બનાવે છે. તેનાથી સ્ત્રીઓના સ્તનોમાં દૂધની વૃધ્ધિ
Jain Education International
23 For Private & Personal Use Only
www.jainelibrary.org