________________
થાય છે. એ પેક્સિાસને મદદ કરે છે. એ પિત્તના મિશ્રણ અને તેની ગતિશીલતામાં સહાયક થાય છે. તેનો મનોવૈજ્ઞાનિક પ્રભાવ આ છે – • શારીરિક શક્તિને માનસિક ગુણોની સાથે જોડે છે.
એ બરોળ (Spleen) અને પેક્સિાસ એ બંને કેન્દ્રોમાં શકિતને પ્રવાહિત કરે છે. • એ વિચાર અને માનસિક કલ્પનાઓનો સૂચક રંગ છે.
એ પ્રેમ, પ્રસન્નતા, ભાવનાઓની સજીવતા અને યોગક્ષેમની ભાવનાને
ટકાવી રાખે છે. લીલો રંગ (Green colour)
આ નાઇટ્રોજન ગેસનો રંગ છે. આ શાંતિનો રંગ છે. એ માનસિક શાંતિ અને શારીરિક સ્વાસ્થ માટે ઉપયોગી છે. અને માંસપેશીઓ, હાડકાં તથા કોશિકાઓને શક્તિશાળી બનાવે છે. એ બી.પી. અને રકતવાહિની નાડીઓના તનાવને ઓછો કરે છે. તે પીયૂટરી ગ્લેન્ડને સક્રિય કરે છે. માંસપેશીઓ અને કોષોનું નિર્માણ કરે છે. એને કીટાણુનાશક, એન્ટીસેપ્ટીક માનવામાં આવે છે.
જયારે વ્યક્તિમાં ભાવનાત્મક ગડબડ ઉભી થાય છે. ત્યારે લીલા રંગના કિરણો મસ્તિષ્ક પર નાખીને ચિકિત્સા કરવામાં આવે છે. આ શકિત, યૌવને, અનુભવ, ઉત્પાદન, આશા અને નવજીવનનો પ્રતીક રંગ છે. સાથે સાથે તે ઈર્ષ્યા. દ્વેષ અને અંધવિશ્વાસનો સૂચક પણ છે. વાદળી રંગ (Blue colour)
તેનો પ્રભાવ મુખ્ય રીતે લોહી પર થાય છે. એ લોહી માટે ટોનિક છે. એ શક્તિ સંવર્ધન, શીત, વિધુતીય અને સંકોચનના ગુણોથી યુક્ત છે. તેનાથી લોહીનું દબાણ વધે છે, રક્તવાહિનીઓ સંકુચિત થાય છે. જયારે લોહી વધુ સક્તિ અને તાપયુક્તા થઈ જાય છે ત્યારે તેને સામાન્ય બનાવવા માટે આ રંગનો ઉપયોગ કરવામાં આવે છે. તે નાડીતંત્રની ઉત્તેજનાને ઓછી કરે છે.
ભાવનાત્મક સ્થિતિઓમાં તે લીલા રંગ કરતાં વધારે લાભદાયક બને છે. એ બાન અને આધ્યાત્મિક વિકાસનો સૂચક રંગ છે. એ મનને શાંત કરે છે,
24 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org