________________
સૂર્ય-કિરણોનો પ્રભાવ
જે રંગની બાટલીમાં દવા બનાવવામાં આવે છે તેમાં સૂર્યના શક્તિશાળી કિરણો દ્વારા તેના રંગને અનુકૂળ વિશેષ રાસાયણિક તેમ જ ખનીજ દ્રવ્યો તથા ધાતુઓ સૂક્ષ્મ સ્વરૂપે ઉત્પન્ન થાય છે. જેવી રીતે લાલ રંગની બાટલીમાં પોટેશિયમ, ફેરિક ઓકસાઇડ તથા અનેક પ્રકારના આલ્કાલાઇન, ધાતુઓ જેવી કે લોઢું, જસત, તાંબુ વગેરે ઉત્પન્ન થઇ જાય .છે.
લીલા રંગની બાટલીમાં કાર્બન, નાઇટ્રોજન વગેરે રસાયણો અને સોડિયમ, નિલ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓ ઉત્પન્ન થાય છે.
વાદળી રંગની બાટલીમાં કોપર સલ્ફેટ, ફોસ્ફોરિક એસિડ વગેરે રસાયણ તથા ટીન, કોબાલ્ટ, કેડનિયમ વગેરે ધાતુઓ ઉત્પન્ન થાય છે.
પીળા રંગની બાટલીમાં સોનાનો અંશ પણ ઉત્પન્ન થાય છે. આ ઉત્પાદનો ક્લ્પના નથી. એમનું પ્રયોગશાળામાં વિશ્લેષણ થઇ ચૂકેલ છે.
સફેદ બાટલીમાં પાણી ભરી ૬ કલાક સુધી તાપમાં રાખવાથી તેમાં કેલ્શિયમ ઉત્પન્ન થાય છે. આ પાણી દરેક પ્રકારના જંતુઓથી મુકત તથા શક્તિવર્ધક હોવાથી સાધારણ વ્યક્તિ માટે પણ લાભદાયક માનવામાં આવે છે. સૂર્યના સફેદ કિરણોમાં સાતે રંગો સમાયેલાં છે એટલા માટે સૂર્ય-સ્નાનથી અનેક લાભ પ્રાપ્ત થાય છે.
રંગોનું ધ્યાન અને રંગ-ચિકિત્સા
ધ્યાનની સાથે રંગોનો ખૂબ જ નજીકનો સંબંધ છે. વિવિધ રંગો પર ધ્યાન સરળતાથી કરી શકાય છે અને વિચારોને નિર્મળ કરી શકાય છે તથા ભાવનાઓને વિશુદ્ધ બનાવી શકાય છે, જેનાથી રોગોનો નિરોધ થાય છે. જયારે સાધક ધ્યાનની ગહન સાધના કરે છે ત્યારે તેના શરીરમાં ગરમી વધે છે. ધ્યાનની વધારે પડતી ઊર્જાથી શરીરમાં થનાર તક્લીફોને વાદળી રંગના થોડાક ડોઝથી શાંત કરી શકાય છે.
વિભિન્ન રંગોના ગુણદોષો
લાલ રંગ (Red colour)
આ અગ્નિ તત્ત્વ છે. તે નાડી-મંડળ અને લોહીને સક્રિય બનાવે છે. પાંચ ઇન્દ્રિયોની ક્રિયાશીલતા આ જ રંગ પર આધારિત છે. આ સેરેબ્રો-સ્પાઇનલ દ્રવ
22
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org