________________
સુધી પહોંચાડી દે છે, પછી અંદરથી તે કાચો માલ પાકો થઈને આવે છે. જે કર્મ અંદર જાય છે તે પાછો વિપાક થઇને બહાર આવે છે. અંદરના સ્ત્રાવો જે રસાયણ બનીને બહાર આવે છે તેને વેશ્યા પછી અધ્યવસાયથી લઇને આપણા સમગ્ર સ્થળ-તંત્ર સુધી-અંત:સ્ત્રાવી ગ્રંથિઓ અને મસ્તિષ્ક સુધી પહોંચાડી દે છે. એટલા માટે જો આપણે આપણા સ્થૂળ શરીરમાં વેશ્યાના પ્રતિનિધિ-સંસ્થાનોને શોધીએ, તેમના વિય-સ્થાનોને શોધીએ, તો જેટલી અંત:સ્ત્રાવી ગ્રંથિઓ છે, તે બધી લેશ્યાની પ્રતિનિધિ-સંસ્થાઓ છે, વિક્રય-સંસ્થાનો છે. તેમના સેલ્સ-મેનેજરો ત્યાં બેઠા છે. સારી રીતે તેમના માલને સપ્લાય કરી રહ્યા છે.
અંત:સ્ત્રાવી ગ્રંથિયોના જે આવો છે તે કર્મોના સ્ત્રાવોથી પ્રભાવિત થઈ નીકળે છે. કર્મોને શ્રાવો અંદરથી આવે છે વેશ્યા દ્વારા અને ગ્રંથિઓમાં આવીને તે સમગ્ર વ્યક્તિત્વને પ્રભાવિત કરે છે. સમગ્ર વ્યકિતત્વ તેનાથી જ નિર્મિત થાય છે. લેશ્યા - રંગનું સંસ્થાના
અંદર કષાયનું તંત્ર છે. ત્યાં જે કંઈ અંદર જાય છે તે રંગીન બની જાય છે. જે કાંઈ પણ માલ બહાર આવે છે તે રંગીન બહાર આવે છે.
| હિંસા, અસત્ય, ક્રોધ, અહંકાર, કપટ વગેરેનું આચરણ કરનાર વ્યકિત બહારથી કાળા, નીલા વગેરે મલિન રંગોનાં પરમાણુઓને આકર્ષિત કરે છે. લેશ્યા-તંત્ર તેમને કષાય-તંત્ર સુધી પહોંચાડે છે. જયારે વિપાક થાય છે, ત્યારે કષાયથી રંગીન થઈ વેશ્યાના માધ્યમથી તે બહાર આવે છે અને ભિન્ન ભિન્ન અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં આવીને જુદા જુદા પ્રકારની વૃત્તિઓ અને વાસનાઓને પ્રગટ કરે છે. આ રીતે સંપર્ક-સૂત્રનું બધું કામ લેશ્વાતંત્રના હાથમાં છે.
જેવા રંગો આપણે ગ્રહણ કરીએ છીએ, તેવા જ આપણા ભાવો, આચાર અને વ્યવહાર બની જાય છે. સ્ફટિકની સામે જેવો રંગ આવે છે, તે તેવું જ દેખાવા લાગે છે. સ્ફટિકનો પોતાનો રંગ હોતો નથી. આત્માનાં પરિણામોનો પણ પોતાનો કોઈ રંગ હોતો નથી. સામે જે રંગનાં પરમાણુ આવે છે, આત્માના પરિણામો પણ તેવાં જ થઈ જાય છે. તે પરિણામો જ આપણી ભાવલેશ્યા છે. ૧. કષાય શબ્દની પસંદગી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ છે. કષાયનો અર્થ થાય છે - રંગેલું. રંગાયેલાં કે લાલ રંગે રંગાયેલાં કપડાંને કાપાયિક કપડું કહેવામાં આવે છે.
E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org