________________
દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યા
લેશ્યા બે પ્રકારની છે. – દ્રવ્ય લેગ્યા અને ભાવ વેશ્યા. દ્રવ્ય વેશ્યા ભૌતિક (Mદૂગલિક) છે અને ભાવલેશ્યા ચૈતન્યનું એક સ્તર છે. પુદ્ગલનું લક્ષણ છે – વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત હોવું. દ્રવ્ય-લેશ્યામાં પણ આ ચારે ગુણો મળે છે. ભાવ-લેશ્યા અપૌદૂગલિક છે, એટલા માટે તેમાં કોઈ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નથી હોતાં. કૃષ્ણ વેશ્યાનો રંગ કાળો, નીલ વેશ્યાનો રંગ નીલો અને કાપોત વેશ્યાનો વર્ણ કબૂતર જેવો કે રાખોડી હોય છે. આ ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓ છે. તેજો વેશ્યાનો રંગ લાલ, પદ્મ લેશ્યાનો રંગ પીળો અને શુકલ લેશ્યાનો રંગ સફેદ હોય છે. આ ત્રણેય પ્રશસ્ત વેશ્યાઓ છે. ત્રણે અપ્રશસ્ત લેશ્યાઓનાં ગંધ, રસ અને સ્પર્શ અમનોજ્ઞ તથા ત્રણ પ્રશસ્ત વેશ્યાઓના ગંધ, રસ અને સ્પર્શ મનોજ્ઞ હોય છે.
આ ચાર ગુણોમાંથી રંગ ચિત્તને સૌથી વધારે પ્રભાવિત કરે છે. આપણું સમગ્ર જીવન-તંત્ર રંગોનાં આધારે ચાલે છે. આજે મનોવૈજ્ઞાનિકો અને વૈજ્ઞાનિકોએ પણ આ શોધ કરી છે કે વ્યક્તિના અન્તર્મનને અચેતન મન અને મસ્તિષ્કને સૌથી વધુ પ્રભાવિત કરનાર છે -રંગો. આપણાં જીવન જ નહીં, મૃત્યુનો સંબંધ પણ રંગ સાથે છે. આપણા પૂર્વજન્મનો સંબંધ પણ રંગ સાથે છે.
ત્રણ અપ્રશસ્ત વેશ્યાઓ શુષ્ક અને ઠંડી છે. ત્રણ પ્રશસ્ત વેશ્યાઓ ચીકણી અને ગરમ છે. આ પ્રશસ્તતા અને અપ્રશસ્તતાની વ્યાખ્યા સંકલેશ અને અસંક્લેશના આધાર પર કરવામાં આવી છે, એટલા માટે સાપેક્ષ છે. અસંક્લેશનો અર્થ છે -વિશુદ્ધિ. સંકલેશનો અર્થ છે – અશુદ્ધિ. કૃષ્ણ વેશ્યાની અપેક્ષાએ નીલ વેશ્યા વિશુદ્ધ છે, અને નીલ વેશ્યાની અપેક્ષાએ કાપોત લેશ્યા વિશુદ્ધ છે. કૃષ્ણ લેશ્યા સંક્લેશનું ચરમ બિન્દુ છે, નીલ લેયા મધ્યમ છે અને કપોત લેશ્યા જધન્ય છે. બીજી બાજુ અસંક્લેશની જઘન્ય અવસ્થા છે તેજસ લેશ્યા, મધ્યમ છે પદ્મ લેશ્યા અને ઉત્કૃષ્ટ છે શુક્લ લેશ્યા. ૧. એક વ્યક્તિ મરે છે, તે આગલા જન્મમાં પેદા થાય છે. પ્રશ્ન પૂછવામાં આવ્યો – “તે આગલા જન્મમાં શું થશે? કેવો થશે?” ઉત્તર મળ્યો – “જે લેશ્યામાં તે મરશે તે જ લેશ્યામાં તે ઉત્પન્ન થશે – જે રંગમાં મરશે તે જ રંગમાં પેદા થશે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org