SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું ચૈતન્યનું, જ્ઞાનનું અને શરીરની શક્તિનું કેન્દ્ર છે-અનૈચ્છિક નાડીતંત્ર. તે આખા શરીરમાં ફેલાયેલું છે. પરંતુ કરોડરજજુના નીચલા છેડાથી મગજ સુધીનું સ્થાન ચૈતન્યનું મૂળ કેન્દ્ર છે. આત્માની અભિવ્યક્તિનું આ જ સ્થાન છે. આ જ ચિત્તનું સ્થાન છે. આ જ મન અને ઇન્દ્રિયનું સ્થાન છે. સંવેદન, પ્રતિ-સંવેદન, જ્ઞાન–બધું અહીંથી પ્રસારિત થાય છે. શક્તિનું પણ આ જ સ્થાન છે. જ્ઞાનવાહી અને કિયાવાહી તંતુઓનું આ જ કેન્દ્રસ્થાન છે. માણસ ઊજને માત્ર નીચેની તરફ પ્રવાહિત કરવાનું અધોગામી કરવાનું જાણે છે, ઉપરની તરફ પ્રવાહિત કરવાનું ઊર્ધ્વગામી કરવાનું નથી જાણતે. આમ માત્ર દિશાના પરિવર્તનથી જ શક્તિ નીચેની તરફ જતી હતી તે ઉપરની તરફ જવા લાગે છે. ઊર્જાનું ઉપર જવું એટલે અધ્યાત્મજગતમાં પ્રવેશ કરે. ઊજા નીચે જવાથી પદગલિક સુખની અનુભૂતિ થાય છે. ઊજે ઉપર જવાથી અધ્યાત્મ સુખની અનુભૂતિ થાય છે. આ માત્ર વિદ્યુતનું પરિવર્તન છે. શરીરમાં જે નાડી-સંસ્થાન ન હોત તે શરીરનું કઈ ખાસ મૂલ્ય ન હેત. જે નાડી–મંડળને કાઢી નાખવામાં આવે તે ન જ્ઞાન હોઈ શકે અને ન ક્રિયા થઈ શકે. તમે એ ન ભૂલશે કે આપણું અસ્તિત્વને બે મૂળ સ્ત્રોત્ર છે-ચેતના અને શક્તિ. તેમનું સંવાદીકેન્દ્ર છેઆપણું સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીરમાં જે સ્પંદને ઉત્પન્ન કરનારાં કેન્દ્રો છે તેમનાં સંવાદી કેન્દ્રો આ સ્થૂળ શરીરમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004805
Book TitlePrekshadhyana Sharir Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy