________________
છે. સંવાદી કેન્દ્રો વિના અભિવ્યક્તિ થઈ નથી શકતી. અભિવ્યક્તિ માટે માધ્યમ જોઈએ, કેમ કે જ્યારે અંદરથી બહાર આવવાનું હોય છે ત્યારે તે માધ્યમ વિના નથી થઈ શકતું. આ માધ્યમ છે નાડી–સંસ્થાન. તે જ્ઞાનવાહી નાડી– મંડળ દ્વારા આત્મ-ચેતનાને અભિવ્યક્તિ કરે છે તથા કિયાવાહી નાડીમંડળ દ્વારા આત્મ-શક્તિને અભિવ્યક્ત કરે છે.
આ સંપૂર્ણ નાડી-સંસ્થાન સાધનાની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સાધક જે નાડીસંસ્થાનને સમજે નહીં તે તે સાધનામાં સફળ થઈ શકતું નથી.
અતીન્દ્રિય ચેતનાને વિકાસ મનુષ્યમાં નાડી-સંસ્થાન જેટલું શક્તિશાળી છે, તેટલું બીજા કેઈ પ્રાણમાં નથી. જેટલાં પ્રાણીઓ છે તેમાં સૌથી વધારે શક્તિશાળી નાડી સંસ્થાન મનુષ્યને મળ્યું છે. એટલે મનુષ્ય જ અંધકારથી પ્રકાશ તરફ જઈ શકે છે, પશુ નથી જઈ શકતાં, કેમ કે પશુઓનું નાડીસંસ્થાન એટલું કાર્યક્ષમ નથી, શક્તિશાળી નથી. કહેવાય છે કે દેવે પણ મનુષ્ય બનવા ઈચ્છે છે, મનુષ્ય થઈને સાધના કરવા ઈચ્છે છે. એમ શા માટે ઈચ્છે છે? તેમને પણ તેવું નાડી-સંસ્થાન નથી મળ્યું કે જેના વડે સાધના કરી શકાય, વિશિષ્ટ આરાધન અને નવી ઉપલબ્ધિઓ પામી શકાય. મનુષ્યના નાડી-સંસ્થાનમાં બને વિશેષ પ્રકારની શક્તિઓ છે. જ્ઞાનની શક્તિ પણ છે અને કાર્યની શક્તિ પણ છે. તેના જ્ઞાનવાહી તંતઓ એટલા શક્તિશાળી છે કે તે ઉચ્ચ કેટિનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.
પરંતુ આપણું જ્ઞાન ઘણું ઓછું છે. આપણે માનીએ
47
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org