SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ શકતી. ધ્યાનની સાધના કરનાર સાધક મનની સૂક્ષ્મતાને પકડવાને અભ્યાસી બની જાય છે. તે સમજી જાય છે કે મસ્તિષ્કના અમુક કેન્દ્રમાં કઈ વૃત્તિ પેદા થઈ રહી છે. તે તરત જ દીઘ શ્વાસને પ્રયોગ શરૂ કરી દે છે. પેદા થનાર વૃત્તિ તરત જ શાંત થઈ જાય છે. સાધક તે વૃત્તિઓને, ઉત્તેજનાઓને શિકાર બનતા નથી. સાધકે સૌથી પ્રથમ જે પરિવર્તન કરવાનું છે તે છે વાસથી ગતિનું પરિવર્તન. જે તેના મૂલ્યને નથી સમજતે તે સાધનાની સચ્ચાઈને પકડી શકતું નથી. જે સાધક લાંબા શ્વાસને ફક્ત પ્રાણાયામના રૂપમાં જ સ્વીકારે છે તે પિતાની તંદુરસ્તી સુધી સીમિત લાભ તે મેળવી શકે છે, પરંતુ તે દીર્ઘ-શ્વાસપેક્ષાથી થનાર આંતરિક પરિવર્તનના લાભે મેળવી શકતું નથી. આપણે એ સ્પષ્ટ સમજવું જોઈએ કે દીર્ધ શ્વાસ ફક્ત પ્રાણાયામ જ નથી, તે તેનાથી આગળની વસ્તુ પણ છે. આપણે દીર્ઘ-Aવાસ પ્રાણાયામની દષ્ટિથી જ નથી લેતા. તેને મૂળ ઉપચાગ છે–વૃત્તિઓનું શમન, ઉત્તેજનાઓનું શમન અને વાસનાઓનું શમન. તેની સાથે સાથે શારીરિક અને માનસિક લાભે તે થાય છે જ. જ્યારે શ્વાસની ગતિમાં મંદતા લાવવાને અભ્યાસ વધારે આગળ વધે છે, ત્યારે સાધકને અનુભવ થાય છે કે બહુ જ લાંબા સમય સુધી શ્રવાસ લીધા વિના રહી શકાય છે. પ્રવાસના તરંગને અટકાવી શકાય છે. “મહા-પ્રાણુ ધ્યાનની સાધના વગેરે અનેક પ્રકારની સમાધિઓમાં સાધક શ્વાસને અટકાવીને શ્વાસહીન સ્થિતિમાં ચાલ્યા જાય છે. 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004804
Book TitlePrekshadhyana Shwas Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy