________________
૧૫-૧૭ની સંખ્યા, ૩૦-૪૦, ૫૦-૬૦ સુધી વધી જાય છે. આવેશમાં, કષાયમાં, વાસના-તૃપ્તિમાં શ્વાસની સંખ્યા ખૂબ વધી જાય છે. શ્વાસની સંખ્યા વધે છે, ગતિ ઓછી થાય છે અને સાથે સાથે તેની અસર પ્રાણશક્તિ પર પડે છે. તે જ રીતે શારીરિક અને માનસિક સ્વાસ્થ પર પણ તેની અસર થાય છે. પરંતુ પ્રેક્ષાધ્યાનની સાધના કરનાર વ્યક્તિ સૌથી પ્રથમ શ્વાસની ગતિને બદલવાને પ્રયાસ કરે છે. તે શ્વાસની ગતિની લંબાઈને વધારે છે. શ્વાસ મંદ બને, શ્વાસ દઈ બને, શ્વાસ સૂમ બને, વાસની સમગ્ર દિશા બદલાઈ જાય–તે જ સાધકને પ્રથમ પ્રયાસ હોય છે. પરિણામે શ્વાસની સંખ્યા ઘટે છે, લંબાઈ વધે છે, મન શાંત થાય છે. તેની સાથે સાથે આવેશ શાંત થાય છે તથા ઉત્તેજનાઓ અને વાસનાઓ પણ શાંત થાય છે. શ્વાસ જ્યારે ટૂંકા થાય છે ત્યારે વાસનાઓ ઉભરાય છે, ઉત્તેજના વધે છે, કષાય જાગૃત થાય છે. જ્યારે શ્વાસ ટૂંકા થાય છે ત્યારે આ બધું ઉભરાય છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે તે ઉભરાય છે ત્યારે શ્વાસ ટૂંકા થઈ જાય છે. આ બધાથી શ્વાસ પ્રભાવિત થાય છે. આ બધા જ દોષોનું વાહન છે–-શ્વાસ. તે બધા પ્રવાસ પર ચડીને આવે છે. જ્યારે પણ ખબર પડે કે ઉત્તેજના આવવાની છે, ત્યારે તત્કાલ જે શ્વાસને લાંબા કરી દઈએ, દીર્ઘ શ્વાસ લેવા લાગી જઈએ તે આવનાર ઉત્તેજના પાછી વળી જશે. તેનું કારણ એ છે કે શ્વાસનું વાહન તેને પ્રાપ્ત થયું નથી. વગર આલંબને ઉત્તેજના કે વાસના પ્રગટ નથી
19 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org