SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા પણ કરે છે, અને આતરિક યાત્રા પણ કરે છે. તે એ દીપક છે જે અંતરને પ્રકાશિત કરે છે અને બહારને પણ પ્રકાશિત કરે છે. જે આપણે અંતરયાત્રા કરવા માગીએ તે આપણી પાસે ફક્ત એક જ ઉપાય છે કે આપણે મનને શ્વાસના રથ ઉપર ચઢાવી દઈએ અને તેની સાથે સાથે અંતરમાં ચાલ્યા જોઈએ. આપણી અંતમ્યાત્રાને પ્રારંભ થઈ જશે, આપણે અંતર્મુખી બની જઈશું, આપણે આધ્યાત્મિક થઈ જઈશું. આધ્યાત્મિક બનવાને સૌથી સરળ ઉપાય છે–શ્વાસને મનની સાથે જોડી દે, બંનેને વેગ કરી આપ. વૈજ્ઞાનિક આધાર પ્રશ્ન થઈ શકે કે શ્વાસને જ આપણે આલંબન કેમ બનાવવું જોઈએ? શ્વાસ-ક્રિયાના વિશિષ્ટ સ્વરૂપને આપણે વૈજ્ઞાનિક ધારણાઓના આધાર પર સમજી શકીએ છીએ. આપણા શરીરની અંદર ચાલનાર તંત્ર અને ક્રિયાએનું નિયંત્રણ બે પ્રકારથી થાય છે? ૧. એરિછક રૂપે (Voluntarily) ૨. સ્વતઃ સંચાલિત રૂપે (Autonomicaly) હાથ-પગનું સંચાલન, માંસપેશીઓનું સંકેચાવું-ફૂલવું વગેરે ક્રિયા સ્વતા સંચાલિત નથી, ઐચ્છિક રૂપે નિયંત્રિત થાય છે. બીજી તરફ પાચનતંત્ર (Digestion) રક્તસંચાર (Blood circulation), હદયનું ધડકવું (Heart-rate) વગેરે ક્રિયાઓ ઐચ્છિક નથી, સ્વતસંચાલિત છે. શ્વસન (Respiration) એક એવી ક્રિયા છે જેનું નિયંત્રણ સ્વતઃ 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004804
Book TitlePrekshadhyana Shwas Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy