________________
મા
જાય છે. કૃષ્ણલેશ્યા શુદ્ધ થતાં થતાં નલલેશ્યા, નીલલેશ્યા કાપોતલેશ્યા અને કાતિલેશ્યા તે જેલેશ્યા બની જાય છે. આપણું અધ્યાત્મ યાત્રા તે લેયાથી, લાલ રંગથી શરૂ થાય છે. તેજલેશ્યાને રંગ બાલસૂર્ય જેવો છે અને રંગનું મનેવિજ્ઞાન બતાવે છે કે અધ્યાત્મની યાત્રા લાલ રંગથી જ શરૂ થાય છે. તેજલેશ્યામાં આવતાની સાથે જ આદતમાં આપઆપ પરિવર્તન થવા માંડે છે. તેમાં સ્વાભાવિક રીતે જ રૂપાંતર શરૂ થવા માંડે છે, પદ્મશ્યામાં વિશેષ બદલાતું જાય છે. શુકલેશ્યામાં પહોંચતાં જ વ્યક્તિત્વનું પૂર્ણ રૂપાંતર (Transformation) થઈ જાય છે.
ભાવધારા (લેશ્યા)ના આધાર પર જ આભામંડળમાં પણ પરિવર્તન થાય છે. લેહ્યા ધ્યાન દ્વારા આભામંડળને બદલવાથી ભાવધારા પણ બદલાઈ જાય છે. આ દષ્ટિથી લેશ્યા ધ્યાન કે ચમકતા રંગેનું ધ્યાન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. આપણી ભાવધારા જેવી હોય છે તેને અનુરૂપ જ માનસિક ચિંતન તથા શારીરિક મુદ્રાઓ બને છે. આ ભૂમિકામાં લેગ્યા ધ્યાનની ઉપયોગિતા ખૂબ જ વધી જાય છે.
બને સ્થિતિઓ આપણી સમક્ષ છે: એક સ્થિતિ વિશુદ્ધ અધ્યવસાય અને વિશુદ્ધ લશ્યાની, બીજી સ્થિતિ અશુદ્ધ અધ્યવસાય અને અશુદ્ધ લડ્યાની. જેમ જેમ સાધનાની શક્તિ વધશે તેમ તેમ કષાય મંદ થશે અને અધ્યવસાય, લેશ્યા, ભાવ, કર્મ અને વિચાર પિતાની મેળે જ શુદ્ધ થવા માંડશે.
Jain Education International For Private 38ersonal Use Only
www.jainelibrary.org