________________
૩ ૧૦. વર્તમાન ક્ષણની પ્રેક્ષા D
ભૂતકાળ વીતી જાય છે, ભવિષ્ય આવવાના બાકી હાય છે, જીવિત ક્ષ વર્તમાન હોય છે. ભૂતકાળના સંસ્કારની સ્મૃતિથી ભવિષ્યની કલ્પનાઓ અને વાસનાઓ જાગે છે. વર્તમાન ક્ષણને અનુભવ કરનાર, સ્મૃતિ અને કલ્પના અન્નેથી બચી જાય છે. સ્મૃતિ અને કલ્પના રાગદ્વેષયુક્ત ચિત્તનું નિર્માણ કરે છે. જે વર્તમાન ક્ષણના અનુભવ કરે છે તે સહજરૂપે રાગ-દ્વેષથી મુક્ત રહી શકે છે. આ રાગદ્વેષશૂન્ય વર્તમાન ક્ષણ જ સવર છે. રાગદ્વેષશૂન્ય વર્તમાન ક્ષમાં જીવનાર ભૂતકાળના સંચિત કર્મ સંસ્કારના અંધના નિરોધ કરે છે. આમ વર્તમાન ક્ષણમાં જીવનાર ભૂતકાળનું પ્રતિક્રમણ `વ માનનું સંવરણ અને ભવિષ્યનું પ્રત્યાખ્યાન
કરે છે.
“તથાગત' ભૂતકાળ અને ભવિષ્યકાળના અર્થને નથી જોતા. કલ્પનાને છેડનાર મર્ષિ વમાનના અનુપશ્તી (ધ્રા) બની, કર્મશરીરનું શેષણ કરી તેને ક્ષીણ કરી નાંખે છે”પ
૧. ભૂતકાળમાં કરેલ દુષ્કૃત્યાથી પાછા ફરવું તે ‘પ્રતિક્રમણ’ છે. ૨. વમાનમાં દુષ્કૃત્યાથી નિવૃત થવું ‘સંવરણ’ છે. ૩. ભવિષ્યકાળમાં દુષ્કૃત્યે। ન કરવાના સંકલ્પ કરવા તે ‘પ્રત્યાખ્યાન' છે.
૪. વમાનમાં સદા દ્રષ્ટાભાવમાં રહેનાર તથાગત' કહેવાય છે. ૫. આયારા ૩/૬•
39
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org