________________
ચૈતન્ય કેન્દ્રોની સંજ્ઞા-નામકરણ આપવામાં આવ્યું છે.
માનવને જેટલી ટેવ પડે છે તેનું મૂળ ઉગમ સ્થાન ગ્રંથિ-તંત્ર છે. આપણા શરીરના બે મુખ્ય ભાગ છે. એક નાડી તંત્ર (Nervous system) બીજુ ગ્રંથિતંત્ર નાડીતંત્રમાં આપણી બધી વૃત્તિઓ અભિવ્યક્ત થાય છે, અનુ. ભવમાં આવે છે અને પછી તે વ્યવહારમાં ઊતરે છે. વ્યવહાર, અનુભવ કે અભિવ્યક્તિકરણ–આ બધાં જ નાડી. તંત્રનાં કામ છે, પરંતુ તેને જન્મ, તેની ઉત્પત્તિ ગ્રંથિ. તંત્રમાં થાય છે. જે આપણી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે, તેમાં ટેવે જન્મ લે છે. તે જ ટેવે મગજ સુધી પહોંચે છે, અભિવ્યક્ત થાય છે અને પછી તે વ્યવહારમાં પરિણમે છે. એટલા માટે જ વિજ્ઞાનમાં એક નવા શબ્દનો પ્રયોગ થયે છે–“ન્યૂરોએન્ડોક્રાઈન સિસ્ટમ'–તેને અર્થ ગ્રંથિ તંત્ર અને નાડી–તંત્રનું સંયુક્ત કાર્ય-તંત્ર. આ જ સંયુક્ત-તંત્ર “અર્ધચેતન મન” છે. એ મગજને પણ પ્રભાવિત કરે છે. અર્થાત તે મગજથી પણ અધિક મૂલ્યવાન છે. જે તેને યોગ્ય સાધન દ્વારા સંતુલિત કરવામાં આવે છે તે બધી જ અનિષ્ટ ભાવનાઓથી મુક્તિ મળે છે.
અતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં નીચેની ગ્રંથિઓ–ઉપવૃકક ગ્રંથિઓ (એડ્રીનલ) અને જનનગ્રંથિઓ (નાફૂસ)–વૃત્તિઓ ઉત્પન્ન થવાનાં આ સ્થાન છે. કામવાસનાનું સ્થાન જનનગ્રંથિ (ગોરાસ) અને ભય, આવેગ તથા ખરાબ ભાવ ઉત્પન્ન થવાનું સ્થાન એડ્રીનલ ગ્રંથિઓ છે. યેગશાસ્ત્રની ભાષામાં તેને મણિપુર ચક્ર (તેજસ કેન્દ્ર) અને સ્વાધિષ્ઠાન ચક્ર
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org