________________
(સ્વાસ્થ્ય કેન્દ્ર) કહેવામાં આવે છે. ક્રૂરતા, નૅર, મૂર્છા વગેરે સ્વાસ્થ્યકેન્દ્રમાં ઉત્પન્ન થાય છે. તૃષ્ણા, ઇર્ષ્યા, ઘણા, ભય, કષાય અને વિષાદ મણિપુર ચક્ર (તેજસ-કેન્દ્ર)માં ઉત્પન્ન થાય છે.
જ્યારે આપણું મન–આપણા વિચાર નાભિથી નીચેના ભાગમાં શક્તિ-કેન્દ્ર સુધી દોડે છે, દાંડતા રહે છે ત્યારે ખરાબ વૃત્તિએ ખદખદવા માંડે છે. પછીથી તે બહાર આવે છે અને છેલ્લે ટેવનું સ્વરૂપ પકડી લે છે.
ક્રાધ, કલહ, ઇર્ષ્યા, ભય, દ્વેષ વગેરેના કારણે એ ગ્રંથિએ વિકૃત બને છે. આ આવેગેથી એડ્રીનલ 'થિ સૌથી વધારે પ્રભાવિત થાય છે. જ્યારે આ અનિષ્ટ ભાવનાએ જાગે છે ત્યારે એડ્રીનલ ગ્રંથિને વધારે પડતા શ્રમ કરવે પડે છે અને બીજી બધી ગ્રંથિઓને પણ અતિશ્રમ કરવા પડે છે અને તે પણ થાકી જાય છે અને તદ્દન શિથિલ બની જાય છે. ગ્રંથિઓની શક્તિ ક્ષીણ થઈ જાય છે, પરિણામે શારીરિક અને માનસિક સંતુલન તૂટી જાય છે. એટલા માટે જ એ ખૂબ આવશ્યક છે કે આપણે એ આવેગે અને ભાવનાઓ પર નિયંત્રણ કરીએ. આવેગોને ખૂબ જ સમજદારીથી સમજીએ, તથા ગ્રંથિઓ પર વધારે શ્રમ ન પડવા દઇએ. ગ્ર'થિઓ પર વધારે શ્રમ ન પડે તેના મૂળ ઉપાય ‘ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા’ છે.
શ્વાસ-પ્રેક્ષા, શરીર–પ્રેક્ષા અને ચૈતન્યકેન્દ્રોની પ્રેક્ષા —આ બધાં ગ્રંથિઓને સક્રિય કરવાનાં જ સાધના છે.
34
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org