________________
૫. અંતર્યાત્રા T પ્રેક્ષા-ધ્યાનનું બીજું ચરણ “અંતર્યાત્રા છે. ધ્યાનની સાધનામાં નાડીતંત્રની પ્રાણ-શક્તિ (Nervous energy)ને વિકસિત કરવી અત્યંત આવશ્યક છે. આપણા કેન્દ્રીય નાડીતંત્રનું મુખ્ય સ્થાન સુષુણ્ણા (Spinal cord) છે. સુષ્ણુને નીચેને છેડે – શક્તિ કેન્દ્ર ઊર્જા કે પ્રાણશક્તિનું મુખ્ય કેન્દ્ર છે. અંતર્યાત્રામાં ચિત્તને શક્તિ કેન્દ્રથી–સુષષ્ણુના માર્ગથી જ્ઞાન કેન્દ્ર સુધી લઈ જવાનું હોય છે. ચેતનાની આ અંતર્યાત્રાથી ઊજને પ્રવાહ કે પ્રાણુની ગતિ ઊર્ધ્વગામી થાય છે. આ યાત્રાની અનેક આવૃત્તિઓથી નાડીતંત્રની પ્રાણશક્તિ વિકસિત થાય છે.
આપણે ચૈતન્યનું, જ્ઞાનનું કેન્દ્ર નાડીસંસ્થાન છે. તે આખાયે શરીરમાં ફેલાયેલું છે. પરંતુ કરોડરજજુના નીચેના છેડેથી માથા સુધીનું સ્થાન ચૈતન્યનું મૂળ કેન્દ્ર છે. આત્માની અભિવ્યક્તિનું પણ આ જ સ્થાન છે. આ ચિત્તનું પણ સ્થાન છે. આ મનનું અને ઇન્દ્રિયનું સ્થાન છે. સંવેદન, પ્રતિસંવેદન, જ્ઞાન–બધું અહીંથી જ પ્રસારિત થાય છે. શક્તિનું પણ આ જ સ્થાન છે. જ્ઞાનવાહી અને કિયાવાહી તંતુઓનું પણ આ જ કેન્દ્રસ્થાન છે. મનુષ્ય ઊર્જાને અધોગામી કરવાનું
22
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org