SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શાંત અને સ્થિર રાખવામાં આવે છે. ગર્દન, કરોડરજજુ તથા કમર સીધી રાખવામાં આવે છે તથા શરીરમાં ક્યાંય પણ તનાવ કે અકડાઈ ન રહે, તેના માટે મસ્તકથી લઈને પગ સુધી પ્રત્યેક અવયવ પર ચિત્તને એકાગ્ર કરી સ્વતઃ સૂચના (Auto-Suggestion) દ્વારા આખા શરીરની શિથિ. લતા સાધી શકાય છે. શરીરની પ્રત્યેક માંસપેશી તથા પ્રત્યેક સ્નાયુમાં આ રીતે તનાવમુક્તિને અનુભવ કરી શકાય છે. પૂર્ણ શિથિલીકરણ થઈ જતાં ચૈતન્ય અને શરીરની પૃથક્ પૃથક્ અનુભૂતિ કરી શકાય છે. જેનાથી અનુભૂતિના સ્તર પર “ભેદ-વિજ્ઞાનને અભ્યાસ થઈ શકે છે. શારીરિક તનાવથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે કાર્યોત્સર્ગને અભ્યાસ પૂબ જ જરૂરી છે. બે કલાક સુધી સૂવાથી , પણ શરીર તેમ જ માંસપેશીઓને જે વિશ્રામ પ્રાપ્ત થતું નથી એટલે વિશ્રામ અડધો કલાક જ વિધિવત્ કાર્યોત્સર્ગ કરવાથી પ્રાપ્ત થઈ શકે છે. બલકે તેના કરતાં પણ વધુ વિશ્રામ મળી શકે છે. તે સિવાય પણ કાર્યોત્સર્ગના અનેક પ્રકાર પ્રજનભેદથી કરી શકાય છે તથા તેનાથી કેટલીયે ઉપલબ્ધિ પણ થઈ શકે છે ૧. વધુ વિગત માટે જુઓઃ “પ્રેક્ષાધ્યાનઃ કાયોત્સર્ગ –જીવન વિજ્ઞાન ગ્રંથમાળા-પુષ્પ : ૨. - Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy