________________
D ૪. કાયોત્સર્ગ ]
શરીરની ચંચળતા, વાણીને પ્રયોગ અને મનની ક્રિયા –આ ત્રણેને માટે એક શબ્દપ્રયાગ એગ કરી શકાય. ધ્યાનને અર્થ છે—ગને નિરોધ. પ્રવૃત્તિઓ ત્રણ છે અને ત્રણેને નિરોધ કરવાનું છે. પરિણામે ધ્યાનના પણ ત્રણ પ્રકાર આપમેળે જ થઈ જાય છે: કાયિક ધ્યાન, વાચિક ધ્યાન અને માનસિક ધ્યાન. આ કાયિક ધ્યાન તે જ કાયેત્સર્ગ. તેને કાય ગુપ્તિ, કાય-સંવર, કાય વિવેક, કાય-બુત્સર્ગ અને કાય-પ્રતિસંલીનતા પણ કહેવામાં આવે છે.
કાત્સગ માનસિક એકાગ્રતાની પહેલી શરત છે. એટલા માટે જ પ્રેક્ષાધ્યાનનું પ્રથમ ચરણ કાર્યોત્સર્ગ છે, જે બધા જ પ્રકારનાં કરવામાં આવતાં પ્રેક્ષા-ધ્યાનના પ્રારંભમાં જ કરવામાં આવે છે. તેના સિવાય પણ કાર્યોત્સર્ગને અભ્યાસ સ્વતંત્રરૂપે પણ દીર્ધકાળ સુધી કરવામાં આવે છે. કાયેત્સર્ગ સાધવાની પ્રક્રિયા માટે પદ્માસન, અર્ધપવાસન, સુખાસન વગેરેમાંથી ગમે તે એકની પસંદગી સગવડપૂર્વક કરી શકાય છે. તે આસનમાં સ્થિત થઈને શરીરને તત
૧. ગજૈન દર્શનને પારિભાષિક શબ્દ છે, જે મન, વચન અને શરીરની પ્રવૃત્તિઓને દ્યોતક છે.
20.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org