________________
૩. અપ્રમાદ ]
ધ્યાનનું સ્વરૂપ અપ્રમાદ છે, ચૈતન્યનું જાગરણ કે સતત જાગરૂકતા. જે જાગૃત થાય છે તે જ અપ્રમત્ત બને છે. જે અપ્રમત્ત બને છે તે જ એકાગ્ર થઈ શકે છે. એકાગ્ર ચિત્તવાળી વ્યક્તિ જ ધ્યાન કરી શકે છે. જે પ્રમત્ત હોય છે, પિતાના અસ્તિત્વ પ્રતિ–પિતાના ચૈતન્ય પ્રતિ, જાગૃત નથી થતા તે બધી બાજુથી ભયને અનુભવ કરે છે. જે અપ્રમત્ત હોય છે, પિતાના અસ્તિત્વ પ્રતિ, પિતાના ચૈતન્ય પ્રતિ જાગૃત હોય છે તે ક્યાંય પણ ભયને અનુભવ નથી કરતે. તે સદૈવ અભય રહે છે.
અપ્રમત્તને કાર્ય કર્યા પછી તેની સ્મૃતિ સતાવતી નથી. વાતચીતના સમયે વાતચીત કરે છે, તે પછી વાતચીતને એક શબ્દ પણ તેને યાદ આવતું નથી. આ જ સૌથી મોટી સાધના છે. મનુષ્ય જેટલું કામ કરે છે તેનાથી વધુ તે સ્મૃતિમાં ગૂંચવાયેલે રહેતા હોય છે. ભેજન કરતાં કરતાં પણું અનેક વાતે તેને યાદ આવે છે. જે સમયે જે કામ કરવામાં આવે, તે સમયે તેમાં જ લીન રહેનાર સાધક હોય છે. શરીર, મન અને વાણીને વેગ કે સામંજસ્ય વિરલ વ્યક્તિ એમાં જ જોવા મળે છે. જ્યાં શરીર અને મનનું સામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org