SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાહ પરિચય ~- ~~-~~~-~~-~~-~-~~-~ ~~-~~-~~-~~~~~-~રાજાઓની હકૂમતથી જ્યારે ને ત્યારે ચકમક ઝરવાનેજ પ્રસંગ રહે છે અને તેના પરિણામે પ્રજાની પાયમાલી થાય છે. અતઃ અકબરે પિતાનું પ્રધાન લક્ષ એજ રાખ્યું હતું કે- એકજ રાજાના આધિપત્ય નીચે સમસ્ત પ્રજાને લાવી મૂકવી. આ ઉદેશને ધ્યાનમાં રાખીને જ તેણે ધીરે ધીરે ન્હાનાં હેટાં પરગણુઓને સ્વાધીન કર્યા હતાં અને એ પ્રમાણે ભારતવર્ષના મહેટા ભાગનું આધિપત્ય, મેળવવા માટે અકબરે બાર વર્ષ સુધી લડાઈએ શરૂ રાખી હતી. અકબરની આ સમસ્ત ચુદ્ધયાત્રાએનું વૃત્તાન્ત ન આપતાં માત્ર ટૂંકમાં એટલું જ કહીશું કે–તેણે પિતાના ઉદ્દેશ્યમાં ઘણે ભાગે સફલતા પણ મેળવી હતી. અકબરને વિશેષ પરિચય કરવા માટે હવે આપણે તેના બીજા ગુણ-અવગુણોનું નિરીક્ષણ કરીએ. યદ્યપિ અકબર મુસલમાન કુલેત્પન્ન હતું, છતાં તેનામાં દયાની લાગણી સારી હતી. દીન અને રંક જનેની સેવા કરવી, અથવા તેઓનાં દુખે દૂર કરવા પ્રયત્ન કરે એ અકબર પોતાનું કર્તવ્ય સમજતે હતે. પિતાની હિંદુ કે મુસલમાન કેઈપણ પ્રજાને રંજાડવામાં કે દુઃખી કરવામાં તે પાપ સમજતા હતે. એક રાજાના પ્રજા પ્રત્યે કેવા ધર્મો હોવા જોઈએ, એ અકબર સારી પેઠે સમજતો હતો. મેર પીંછાંથીજ શેભે છે” તેમ “રાજા, પ્રજાથીજ શેભે છે? અર્થાત “પ્રજાની શોભામાંજ રાજાની શોભા છે.” એ વાત અકબરના ખ્યાલ બહાર હતી અને તેથી કરીને તે, પ્રજાની લાગણી દુખાય. એવાં કામથી દૂર રહેતું. બલકે, જ્યારે ને ત્યારે પ્રજાની અનુકૂલતાનાં કાર્યો કરીને પ્રજાને બહુ પ્રસન્ન રાખત. અર્થાત્ જ્યાં જેવી જરૂરત જણાતી, ત્યાં તેવાં કાર્યો કરાવી દેતે. અકબરે કરાવેલાં આવાં અનેક કાર્યોમાં ફતેપુર સીકરીમાં પાણીની અછત દૂર કરવાને માટે ૬ માઈલ લાંબુ અને ૨ માઈલ પહોળું બંધાવેલું તળાવ પણ એક છે. આ તળાવનાં કંઈક ચિહુને હજૂ પણ તેની દયાળુ લાગણીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy