SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ સૂરીશ્વર અને સમ્રા. ઉગ્ર શોકને અનુભવ થયું હતું અને દુનિયાની છેવટની મુસાફરીને માટે ધાર્મિક જીવનની ખામી રહેવાને લીધે મારે આત્મા અત્યન્ત દુઃખી થતું હતું.” અકબરને અત્યાર સુધીના અનુભવ ઉપરથી એ પણ જણાયું હતું કે-જેની જેની સાથે તેણે વિશ્વાસ રાખ્યું હતું, તે બધાએ વિશ્વાસ રાખવાને લાયક હતા. તેમ તેમાંના કેટલાક અકબરને મારવા સુધીને પ્રયત્ન કરી ચૂક્યા હતા. અત્યાર સુધી અકબરના રાજ્યની ઉપજની પણ અવ્યવસ્થા હતી. આ હકીકત જ્યારે અકબરના સમજવામાં આવી ત્યારે તેણે સૂરવંશીયરાજ્યના એક વફાદાર માણસને નેકર રાખ્યું હતું, કે જેને ઇતમાદખાનને ઈલકાબ આપવામાં આવ્યું હતું. આ માણસે કેટલાક કાયદા કાનૂને એવા બનાવ્યા કે જેથી ઉપજ સંબંધી બધી અવ્યવસ્થા દૂર થઈ હતી અને રીતસર કામ ચાલવા લાગ્યું હતું. અકબર આજ વર્ષમાં એટલે ઈ. સ. ૧૫૬૨ ના જાન્યુઆરી મહીનામાં ખ્વાજા મુઈનુદ્દીનની યાત્રા કરવા માટે અજમેર ગયે. માર્ગમાં આવતાં દોસા ગામમાં આંબેર (જયપુરની જૂની રાજ્યધાની) ના રાજા બિહારીમલે પિતાની મોટી દીકરી પરણાવવાનું કબૂલ કર્યું. અકબર અજમેરથી એકદમ આગરે આવ્યું. અને સાંભર આગળ તે હિંદુકન્યાની સાથે અકબરે પિતાનું લગ્ન કર્યું. હિંદુ રીની સાથે આ તેનું પ્રથમ લગ્ન હતું. (અકબરને પુત્ર “જહાંગીર” (સલીમ) એ આજ સ્ત્રીથી ઉત્પન થયેલ પુત્ર હતા.) ઈ. સ. ૧૫૬૯. અકબરની આંતરિક ઇચ્છા એ હતી કે–ભારતવર્ષમાં એક છત્ર સામ્રાજ્ય સ્થાપન કરવું અને રાષ્ટ્રીય દ્રષ્ટિથી જોવા જઈએ તે ભારતવર્ષની પ્રજાને સુખસાગરમાં ઝીલવાનું પણ ત્યારે જ મળી શકે તેમ હતું કે-જ્યારે કેઈ પણ એક પ્રતાપી રાજાના એક છત્ર સામ્રાજ્ય હેઠળ સમસ્ત પ્રજા રહેવાને ભાગ્યશાળી બને. જુદા જુદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy