SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાહુ પરિચય. પરિણામે જ રાજા વગર તપાસે, વગર એ હુકમ બહાર પાડે છે. આના પરિણામે રાજા –પ્રજા વચ્ચે અણબનાવ ઉભું થવા પામે છે. ખરી વાત તે એજ છે કે, રાજાએ સ્વયં નિરીક્ષક બનવું જોઈએ. અને તેની સાથેજ સાથે પ્રજા પ્રત્યે કેઈપણ પ્રકારને અન્યાય ન થાય, એવી રીતે વર્તાવ કરવો જોઇએ. અકબરને પણ પ્રારંભિકકાલ લગભગ તેજ-એટલે ખુશામતિયાઓના જેરવા હવે, પરતુ પાછળથી તે પોતાની બુદ્ધિથી કામ કરવાનું વધારે પસંદ કરવા લાગ્યું હતું. ઈ. સ. ૧૫૬૨ માં-એટલે પિતાની વીસ વર્ષની ઉમરે સમ્રાટે પિતાની પ્રજાની કેવી સ્થિતિ છે, તે જાણવાને સારા પ્રયત્ન આદર્યા હતા અને તેને માટે તે ફકીર–સાધુઓનો સહવાસ વધુ કરવા લાગ્યું હતું. વાત પણ સાચીજ છે કે નિષ્પક્ષપાતી સાધુદ્વારા પ્રજાની સ્થિતિ વધારે સારી રીતે જાણી શકાય છે. વર્તમાન સમયના ઘણાખરા રાજાઓ તે સાધુ-ફકીરને મળવામાં મોટું પાપજ સમજી બેઠા છે. અતુ, અકબરને, સાધુ-ફકીરને મળવામાં એટલે આનંદ મળતે કે-કઈ કઈ વખતે તે પિતાને વેષ બદલી બદલીને પણ સાધુ-સંતેને મળવાની પિતાની ઈચ્છાને પૂરી કરતે. આમ કરીને જેમ તે સાધુઓ દ્વારા પ્રજાની સ્થિતિ સંબંધી માહિતી મેળવતે, તેમ આત્માની ઉન્નતિનાં સાધનોનું પણ અન્વેષણ કરતે. અકબર કહી ગયેલ છે કે– On the completion of my twentieth year,' he said, 'I experienced an internal bitterness, and from the lack of spiritual provision for my last journey my soul was seized with exceeding sorrow.'* વીસ વર્ષની ઉંમર પૂરી થતાં મને મારા અંતઃકરણમાં * Ain-i-Akbari, Vol. III, p. 386 by H. S. Jarrett. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy